SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પરિહારરૂપે મૂલકાર ‘સત્ર ય ન્યવ...' ઇત્યાદિ દ્વારા સમાધાન આપે છે. 'ત્રિ' એટલે “પૃથવી, ‘તરમવતી અન્ધર્વસ્વી' આ ઇતરભેદસાધક અનુમાનમાં' એવો અર્થ કરવો. આ જે ઇતરભેદસાધક અનુમાન છે તે ઉપલક્ષણ છે. (સ્વવોધત્વે સતિ સ્વૈતરોધત્વમુન્નક્ષત્વિમ્ = જે પોતાને પણ જણાવે અને પોતાના સંદેશ અન્ય પદાર્થોને પણ જણાવે તેને ઉપલક્ષણ કહેવાય છે.) અહીં ‘fથવી તરખેવતી સન્ધવર્વત' આ કેવલવ્યતિરેકિ અનુમાનથી અન્ય પણ કેવલવ્યતિરેક અનુમાનો જાણવા જેમ કે... (૧) “નવછરીરં સાત્મિÉ પ્રતિમસ્વીત' જીવતું શરીર આત્મા સહિતનું છે કારણ કે પ્રાણાદિવાળું છે. અહીં ‘જયાં જ્યાં પ્રાણાદિમત્ત્વ છે ત્યાં ત્યાં સાત્મકત્વ છે? આ પ્રમાણેની અન્વયવ્યાપ્તિને બતાવનારું પક્ષથી ભિન્ન દ્રષ્ટાંત મળતું નથી પરંતુ “જે જે સાત્મક નથી તે તે પ્રાણાદિમતુ નથી” જેમ કે “ઘટ’ આ પ્રમાણે વ્યતિરેકવ્યાપ્તિ જ મળતી હોવાથી પ્રાણાતિમત્ત' હેતુ કેવલવ્યતિરેકી છે. (૨) “પ્રત્યક્ષાવિદં પ્રHIVમિતિ વ્યવહર્તવ્યં પ્રમાર ત્વત્' પ્રત્યક્ષાદિ ચાર “પ્રમાણ છે એ પ્રમાણે વ્યવહાર કરવા યોગ્ય છે કારણ કે તે પ્રમાનું કારણ છે. અહીં પણ ““જે જે પ્રમાનું કરણ છે તે તે “આ પ્રમાણ છે એ પ્રમાણે વ્યવહાર કરવા યોગ્ય છે” આ પ્રમાણેની અન્વયવ્યાપ્તિસૂચક પક્ષથી ભિન્ન દ્રષ્ટાંત મળતું નથી. પરંતુ “જે “આ પ્રમાણ છે એ પ્રમાણે વ્યવહાર કરવા યોગ્ય નથી, તે પ્રમાનું કારણ નથી.” જેમ કે પ્રત્યક્ષાભાસ = ભ્રમાત્મક જ્ઞાન (= રંગમાં રજતનું જ્ઞાન થવું તે.) આ પ્રમાણેની વ્યતિરેકવ્યાપ્તિ જ મળતી હોવાથી “પ્રમારિત્વિ' હેતુ કેવલવ્યતિરેકી છે. (૩) વિવારૂન્ ગાઝામિતિ વ્યવહર્તવ્ય શદ્વસ્વ' વિવાદાસ્પદ જે છે તે ‘આકાશ છે એ પ્રમાણે વ્યવહાર કરવા યોગ્ય છે કારણ કે તે શબ્દવાળું છે. અહીં પણ જે જે શબ્દવાળું છે તે તે ‘આ આકાશ છે એ પ્રમાણે વ્યવહાર કરવા યોગ્ય છે. આ પ્રમાણેની અન્વયવ્યાપ્તિસૂચક પક્ષથી ભિન્ન દ્રષ્ટાંત મળતું નથી પરંતુ જે જે “આ આકાશ છે એ પ્રમાણે વ્યવહાર કરવા યોગ્ય નથી તે તે શબ્દવાળા નથી. જેમ કે “ઘટ’ આ પ્રમાણેની વ્યતિરેકવ્યાપ્તિ જ મળતી હોવાથી શદ્વત્ત્વ' હતુ કેવલવ્યતિરેકી છે. પક્ષ - નિરૂપણ मूलम् : संदिग्धसाध्यवान् पक्षः। यथा धूमवत्त्वे हेतौ पर्वतः॥ જેમાં સાધ્યનો સંદેહ હોય તેને “પક્ષ કહેવાય છે. જેમ કે - ધૂમ હેતુ તરીકે હોય ત્યારે પર્વત” એ પક્ષ છે. (અર્થાત્ ધૂમ હેતુને જોઈને વનિરૂપ સાધ્યનો પર્વતમાં સદેહ થાય છે. તેથી “પર્વત’ એ પક્ષ છે.) (न्या०) पक्षलक्षणमाह-संदिग्धेति। साध्यप्रकारकसंदेहविशेष्यत्वं पक्षत्वम्। इदं च
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy