SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સાધ્યનિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધનો નિવેશ' શંકા : ભઈ! ‘પર્વતો વદ્ધિમાન ધૂમા” આ સસ્થળમાં વ્યાપ્તિનું લક્ષણ ન ઘટવાથી અવ્યાપ્તિ દોષ આવશે. કારણ કે સંયોગસંબંધથી પર્વત ઉપર વહિન રહેવા છતાં પણ સમવાયસંબંધથી તો વનિ પર્વત ઉપર નથી જ. (કારણ કે એક સંબંધથી કોઈ વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ અન્ય સંબંધથી એ જ વસ્તુના અવિદ્યમાનમાં કોઈ વિરોધ નથી.) તેથી ‘સમવાયેન વક્નિતિ' એવો અભાવ તો પર્વતમાં પણ મળશે અને તે પર્વત નિરૂપિત વૃત્તિતા હેતુ ધૂમમાં છે. સમા.: અમે વ્યાપ્તિના લક્ષણમાં સાધ્યાભાવ લેતી વખતે સાધ્યમાં રહેલી પ્રતિયોગિતાના અવચ્છેદક સંબંધ'નો નિવેશ કરશું અને એ પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ પણ સાધ્યતાવચ્છેદક સંબંધ જે છે તે જ લઈશ. આમ, “સાધ્યતા વચ્છેસંવંથાવચ્છિન્નસાધ્યનિષ્ટપ્રતિયોગિતામાવો વ્યાતિઃ' કહેવાથી આપત્તિ દૂર થઈ જશે. સાધ્યતાવચ્છેદક સંબંધ કોને કહેવાય? સાધ્ય જે સંબંધથી પક્ષમાં વિવક્ષિત હોય તે સાધ્યતાનો અવચ્છેદક સંબંધ કહેવાય છે. ભિન્ન ભિન્ન અનુમાનમાં સાધ્ય સ્વસ્વ પક્ષમાં ભિન્ન ભિન્ન સંબંધથી વિવક્ષિત હોય છે. પ્રકૃતિ સ્થળમાં વનિ પર્વતમાં સંયોગસંબંધથી વિવક્ષિત છે. તેથી તાદેશ સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ છે. માટે પ્રતિયોગિતાના અવચ્છેદક સંબંધ તરીકે સંયોગ સંબંધ લેવો. તાદેશ સંયોગસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ = “સંયોન દ્વિસ્તિ’ એવો અભાવ પર્વતમાં નહીં મળે પરંતુ જલાદિમાં જ મળશે. અને જલાદિથી નિરૂપિત વૃત્તિતાનો અભાવ ધૂમ” હેતુમાં મળી જવાથી લક્ષણ સમન્વય થશે. અવ્યાપ્તિ આવશે નહીં. તેથી લક્ષણ બનશે.... સાધ્યતાવ છે*સંવત્થાવર્જીન-સાધ્યનિષ્ઠપ્રતિયોગિતાવાભવિવનિરૂપિતવૃત્તિનિર્ણપ્રતિયોતિ1િમાવો વ્યાતિ અર્થાત્ સાધ્યતાવચ્છેદક સંબંધથી સાધ્યનો અભાવ જ્યાં મળે ત્યાં હેતુનો પણ અભાવ મળવો જોઈએ. સાધ્યનિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મનો નિવેશ” શંકા : ઉપરોક્ત લક્ષણ કરવા છતાં પણ ‘વHિI ધૂમાત્' આ જ સ્થળમાં “સંયોન માનનીયદ્વિતિ' આ અભાવને લઈને આવ્યાપ્તિ આવશે કારણ કે પર્વતમાં પર્વતીય વનિ છે પરંતુ સંયોગસંબંધથી મહાનસીય વહિન નથી. તેથી મહાનસીયવનિના અભાવવાળો પર્વત થશે. અને તે પર્વતથી નિરૂપિત વૃત્તિતા ધૂમમાં છે. આમ, ધૂમમાં પર્વત નિરૂપિત વૃત્તિતાનો અભાવ ન મળવાથી અવ્યાપ્તિ આવશે. સમા.: અમે લક્ષણમાં પ્રતિયોતિવિષેધનો નિવેશ કરશું. અને પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ પણ જે સાધ્યતાવચ્છેદક ધર્મ છે તે જ લઈશું તેથી આપત્તિ નહીં આવે. પ્રકૃતિ સ્થળમાં સાધ્ય વહ્િન છે, તેથી સાધ્યતાવચ્છેદક ધર્મ વનિત્વ બનશે પરંતુ મહાનસીયવનિત્વ નહીં. કારણ કે જે ધર્મથી સાધ્ય વિવક્ષિત હોય છે તે ધર્મ સાધ્યાવચ્છેદક કહેવાય છે. મહાનસીયવનિ એ વહ્નિસ્વરૂપ હોવા છતાં પણ પ્રકૃતિ અનુમાનમાં વહ્નિત્વેન
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy