SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ * જો ‘રમનુમાનમ્' આટલું જ અનુમાનનું લક્ષણ કરીએ તો કુઠારાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે કુઠારાદિ પણ છેદન ક્રિયાની પ્રતિ કરણ છે જ. તેથી લક્ષણમાં સમિતિ' પદનો નિવેશ છે. કુઠારાદિ ભલે છેદનક્રિયાની પ્રતિ કરણ છે, પરંતુ અનુમિતિ પ્રતિ કરણ નથી. * લક્ષણમાં જો “ગનું' પદનો નિવેશ ન કરીએ અર્થાત્ “મિતિ રામનુમાનમ્' આટલું જ કહીએ તો મિતિ = જ્ઞાન અને એનું કરણ તો પ્રત્યક્ષાદિ બધા પ્રમાણ છે. પરંતુ લક્ષણમાં ‘મનું પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પ્રત્યક્ષ, ઉપમાનાદિ અનુમિતિનું કરણ નથી. નોંધઃ ન્યાયબોધિનીકારે પરામર્શને વ્યાપાર માન્યો છે અને વ્યાતિજ્ઞાનને કરણ માન્યું છે. જ્યારે પદક્યકારે મૂલકારનું અનુસરણ કર્યું છે. અર્થાત્ પરામર્શજ્ઞાનને જ અનુમિતિનું કરણ માન્યું છે. અનુમિતિ -નિરૂપણ અનુમિતિના કરણને અનુમાન કહેવાય છે’ આમ કહ્યા પછી જિજ્ઞાસા રહે છે કે, “અનુમિતિ” કોને કહેવાય? તેના સમાધાનમાં કહે છે..... मूलम् : परामर्शजन्यं ज्ञानमनुमितिः । પરામર્શથી જન્ય જ્ઞાનને અનુમિતિ કહેવાય છે. (न्या०) परामर्शजन्यमिति। परामर्शजन्यत्वविशिष्टज्ञानत्वमनुमितेर्लक्षणम्। अत्र ज्ञानत्वमात्रोपादाने प्रत्यक्षादावतिव्याप्तिः, अतस्तद्वारणाय 'परामर्शजन्यत्वे सतीति विशेषणोपादानम्। परामर्शजन्यत्वमात्रोक्तौ परामर्शध्वंसेऽतिव्याप्तिरतस्तद्वारणाय 'ज्ञानत्वो पादानम्। જ જાયબોધિની * * અનુમિતિના આ લક્ષણમાં “જ્ઞાનત્વ’ માત્રનું જ ઉપાદાન કરીએ તો પ્રત્યક્ષાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે પ્રત્યક્ષાદિ પણ જ્ઞાન જ છે. પરંતુ લક્ષણમાં “પરામર્શ ન્યત્વે સતિ' પદના ઉપાદાનથી અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે પ્રત્યક્ષાદિ જ્ઞાન તો ઇન્દ્રિયથી જન્ય છે. * લક્ષણમાં “પરામર્શન ત્વ' આટલું જ કહીએ તો પરામર્શના ધ્વંસમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે પરામર્શધ્વસ પણ પરામર્શથી જન્ય છે. પરંતુ લક્ષણમાં “જ્ઞાનત્વ' પદના નિવેશથી પરામર્શધ્વસમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પરામર્શધ્વસ એ અભાવાત્મક છે, જ્ઞાનાત્મક નથી. (प०) नन्वनुमितेरेव दुर्निरूपत्वात्तद्धटितानुमानमपि दुर्निरूपमित्यत आहपरामर्शेति। प्रत्यक्षादावतिव्याप्तिवारणाय परामर्शजन्यमिति। परामर्शध्वंसवारणाय ज्ञानमिति। परामर्शप्रत्यक्षवारणाय हेत्वविषयकमित्यपि बोध्यम् ॥
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy