SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ * જો લક્ષણમાં જાર' પદનો નિવેશ ન કરીએ અને કાર્ય અથવા કારણની સાથે...' ઇત્યાદિ કહીએ તો ‘વિશેષ'માં અતિવ્યાપ્તિ આવશે. કેવી રીતે ? વિશેષ, કયણુક સ્વરૂપ કાર્યનું અધિકરણ જે પરમાણુ છે તેમાં સમવાય સંબંધથી રહે પણ છે અને આત્મવિશેષગુણથી ભિન્ન પણ છે. પરંતુ લક્ષણમાં ‘ાર' પદના નિવેશથી “વિશેષમાં અતિવ્યાપ્તિ આવશે નહીં. કારણ કે વિશેષ, હયણુક સ્વરૂપ કાર્યને ઉત્પન્ન કરતું ન હોવાથી અસમવાયિકારણ બનતું નથી. આથી, “જાયેં રખેન વા સદૈનિર્ચે સમતત્વે સતિ માત્મવિશેષfમનત્વે સતિ વત્ વરદં તત્સમવાયરમ્ આ અસમવાયિકારણનું નિર્દષ્ટ લક્ષણ જાણવું. નિમિત્તકારણ मूलम् : तदुभयभिन्न कारणं निमित्तकारणम्। यथा तुरीवेमादिकं पटस्य ॥ સમવાયિકારણ અને અસમવાયિકારણથી ભિન્ન કારણને નિમિત્તકારણ કહેવાય છે. દા.ત. * તુરી, વેમા વગેરે પટના નિમિત્તકારણ છે. (તુરી = જેમાંથી આડા દોરા નંખાય તે, મા = આડા દોરાને સરખા ગોઠવવા માટેનું આડું પાટિયું.) (न्या० ) निमित्तकारणं लक्षयति-तदुभयभिन्नमिति।समवायिकारणभिन्नत्वे सति असमवायिकारणभिन्नत्वे सति कारणत्वं निमित्तकारणत्वमित्यर्थः ।। સ્પષ્ટ છે. (प०) तदुभयभिन्न कारणं निमित्तकारणमिति । समवाय्यसमवायिकारणवारणाय तदुभयभिन्नमिति। विशेषादावतिव्याप्तिवारणाय कारणमिति॥ કક પદકૃત્ય * નિમિત્તકારણના લક્ષણમાં ‘દુમમન' પદનો નિવેશ ન કરીએ અને “જે કારણ હોય તે નિમિત્તકારણ છે' એટલું જ કહીએ તો સમવાય અને અસમવાયિકારણમાં પણ અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘ત,મર્યામિન' પદના નિવેશથી તેમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે સમયાયિ અને અસમવાયિકારણે તદુભયથી ભિન્ન નથી. (કારણ કે સ્વમાં સ્વનો ભેદ મળતો નથી.) * જો લક્ષણમાં ‘RUT' પદનો નિવેશ ન કરીએ તો વિશેષ,પરમાણુત્વાદિમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે વિશેષાદિ સમયાયિ અને અસમવાયિકારણથી ભિન્ન છે. પરંતુ લક્ષણમાં ‘ાર' પદના નિવેશથી વિશેષાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે વિશેષાદિ કારણ નથી. વિશેષાર્થ : શંકા : શું દરેક કાર્યમાં સમવાયિ આદિ ત્રણેય પ્રકારના કારણ હોય છે? સમા.: કાર્ય બે પ્રકારના છે – ભાવરૂપ કાર્ય અને અભાવરૂપ કાર્ય. તેમાં ભાવ- પદાર્થને
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy