SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ માટે સમવાયસંબંધાવચ્છિન્ન, ઘટવાવચ્છિન્ન, ઘનિષ્ઠ જે કાર્યતા છે તેનાથી નિરૂપિત (= ઓળખાયેલ) તાદાભ્યસંબંધાવચ્છિન્ન કારણતા કપાલમાં છે. તેથી લક્ષણ સમન્વય થાય છે. અર્થાત્ કપાલ એ ઘટકાર્યનું સમાયિકારણ કહેવાશે. શંકા : જે જ ભાવપદાર્થ છે = જે કાર્ય સ્વરૂપ છે, તેનું સમવાયિકારણ કોણ બનશે? સમા. : જન્યભાવત્નાવચ્છિન્ન જન્યભાવપદાર્થ સ્વરૂપ જે દ્રવ્ય, ગુણ અને કર્મ છે, તેઓ દ્રવ્યમાં સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે અને એ જ દ્રવ્યમાં તાદાભ્યસંબંધથી દ્રવ્યસ્વરૂપ કારણની પણ વૃત્તિ છે. તેથી દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણનું દ્રવ્ય જ સમવાધિકારણ છે. * દ્રવ્યનું સમવાયિકારણ દ્રવ્યના અવયવો થશે, જે પણ દ્રવ્ય જ છે. દા.ત. - ઘટકાર્યનું સમવાયિકારણ ઘટના અવયવભૂત કપાલ છે. કે એવી રીતે ગુણનું સમવાયિકારણ પણ દ્રવ્ય જ બનશે. એનું ઉદાહરણ મૂળમાં બતાવ્યું છે --પટરૂપનું સમવાધિકારણ પટદ્રવ્ય છે. * આ રીતે કર્મનું સમવાયિકારણ પણ દ્રવ્ય જ હોય છે. દા.ત. + ગાય પોતાની ગમનક્રિયાની પ્રતિ સમવાયિકારણ છે. કારણ કે સમવાયસંબંધથી ગમનક્રિયા ગાયમાં ઉત્પન્ન થાય છે. (કાર્ય) પટરૂપ પટ (સમાયિકારણ) (કાર્ય) ગમનક્રિયા ગો (સમાયિકારણ) સમવાય - સંબંધ - તાદાભ્ય સંબંધ સમવાય - સંબંધ - તાદાભ્ય સંબંધ પટ વિશેષાર્થ : ન્યાયબોધિનીમાં જન્યભાવ પદાર્થનું સમાયિકારણ દ્રવ્ય બતાવ્યું એમાં * જો “જન્ય' પદનું ઉપાદાન ન કરીએ તો પરમાણુ તેમજ સામાન્ય, વિશેષ, સમવાય નિત્ય હોવા છતાં ‘કાર્ય” માનવા પડે કારણ કે પરમાણુ વગેરે પણ ભાવપદાર્થ છે. પરંતુ “જન્ય' પદના નિવેશથી પરમાણુ વગેરેને “કાર્ય માનવાની આપત્તિ નહીં આવે કારણ કે પરમાણુ વગેરે નિત્ય હોવાથી જન્ય નથી. * જો લક્ષણમાં ‘ભાવ' પદ ન લખીએ અને ‘જ પદાર્થનું સમવાયિકારણ દ્રવ્ય છે” એવું કહીએ તો જન્ય પદાર્થ તરીકે ધ્વસાત્મક અભાવ પણ પકડાશે કારણ કે હૂંસાત્મક અભાવ પણ ઉત્પન્ન થાય છે. તેથી જન્ય એવા ધ્વંસનું સમવાધિકારણ દ્રવ્ય માનવું પડશે. જ્યારે વાસ્તવિક રીતે તો ધ્વંસનું સમવાયિકારણ દ્રવ્ય હોતું નથી. પરંતુ લક્ષણમાં ‘ભાવ' પદના નિવેશથી ધ્વસમાં આપત્તિ નહીં આવે કારણ કે ધ્વસ એ જન્ય હોવા છતાં પણ ભાવસ્વરૂપ કાર્ય નથી. (प०) यदिति। यस्मिन्समवायसम्बन्धेन वर्तमान कार्यमुत्पद्यते तदित्यर्थः । चक्रादिवारणाय समवेतमिति ॥ * પદકૃત્ય *
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy