SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ધર્મ નહીં બને કારણ કે જેમ કાર્યથી અધિક દેશમાં રહેલો ધર્મ અવચ્છેદક ન બને તેમ કાર્યથી ન્યૂન દેશમાં રહેલો ધર્મ પણ અવચ્છેદક ન બની શકે, ઘટવાદિ ધર્મ તો દરેક કાર્યમાં રહેતા નથી. આમ, કાર્યતાનો અવચ્છેદક ધર્મ કાર્યત્વ છે. તેથી કાર્યવથી અવચ્છિન્ન સકલકાર્યમાં રહેલી કાર્યતા બનશે. તાદશ કાર્યતાથી નિરૂપિત કારણતા ઈશ્વરાદિમાં છે. વરિ કાર્યત્વ નિરૂપિત કર્યતા – કારણતા ઘટાદિ સકલકાર્યો ઈશ્વરાદિ (કારણ) તેથી ઈશ્વરાદિ, સકલકાર્યો પ્રતિ સાધારણ કારણ કહેવાય છે. વિશેષાર્થ : શંકા : “ઘટત્વથી અવચ્છિન્ન કાર્યતા બોલી શકાય કારણ કે ઘટવ ધર્મ કાર્યતાથી ભિન્ન ધર્મ છે. પરંતુ સાધારણ કારણના લક્ષણમાં “કાર્યત્વથી અવચ્છિન્ન કાર્યતા” કઈ રીતે કહી શકાય? કારણ કે કાર્યત્વ ધર્મ કાર્યતાથી ભિન્ન ધર્મ નથી. સમા. : અરે ભાઈ! (૧) અવચ્છિન્તીભૂત કાર્યતા સ્વરૂપસંબંધાત્મક છે અને (૨) અવચ્છેદકીભૂત કાર્યતા પ્રાગભાવ પ્રતિયોગિત સ્વરૂપ છે. આમ, બન્ને કાર્યતા જુદા જુદા સ્વરૂપે હોવાથી “#ાર્યત્વવછિનવાર્યતા’ બોલવામાં કોઈ દોષ નથી. શંકા : ભલા ભાઈ! અવચ્છિન્નીભૂત કાર્યતા જેમ સ્વરૂપસંબધાત્મક છે તેવી રીતે અવચ્છેદકીભૂત કાર્યતા પણ સ્વરૂપસંબંધાત્મક જ છે કારણ કે અવચ્છેદકીભૂત કાર્યતાને જે તમે પ્રાગભાવ પ્રતિયોગિત સ્વરૂપ કહી છે, તે પણ સ્વરૂપસંબંધાત્મક જ છે. સમા.: સારું, અમે (૧) અવચ્છિન્તીભૂત કાર્યતા તો સ્વરૂપસંબંધાત્મક લેશું પરંતુ (૨) અવચ્છેદકીભૂત કાર્યતા “સત્તવત્વે સતિ ધ્વંસપ્રતિયોગિત્વનું સ્વરૂપ લઈશું. હવે બન્ને કાર્યતા ભિન્ન ભિન્ન થવાથી કોઈ દોષ નહીં આવે. અહીં એટલું સમજવું કે જેવી રીતે ઘટકાર્યમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક ઘટત્વ ધર્મ દરેક ઘટમાં રહે છે. એવી રીતે સકલ કાર્યમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક કાર્યત્વ ધર્મ જે “સત્તાવિત્વે સતિ ધ્વંસપ્રતિયોગિત્વ' સ્વરૂપ છે, તે પણ સકલ કાર્યમાં રહેશે. ઘટ, પટ વગેરે સકલ કાર્યનો ધ્વંસ થાય છે તેથી ઘટ, પટ વગેરે સકલકાર્યો ધ્વસના પ્રતિયોગી પણ છે અને સત્તા જાતિવાળા પણ છે. * કાર્યવ ધર્મ “áસપ્રતિયોજિત્વ સ્વરૂપ જ કહીએ તો પૂર્વોક્ત દોષ આવશે. અર્થાત્ BIRTHવપ્રતિયોત્વિ' ની જેમ “ધ્વંસપ્રતિયોજિત્વ પણ સ્વરૂપસંબંધાત્મક હોવાથી બન્ને કાર્યતામાં કોઈ ભિન્નતા નહીં દેખાય. અને “સત્તાવસ્વ' પદ નહીં મૂકીએ તો પ્રાગભાવ જે કાર્યસ્વરૂપ નથી, એમાં પણ “áસપ્રતિયોગિત્વ પદ જતું રહેશે. કારણ કે પ્રાગભાવનો ધ્વંસ થતો હોવાથી પ્રાગભાવ એ ધ્વસનો પ્રતિયોગી કહેવાય છે. પરંતુ “સત્તાવ7 પદ મૂકવાથી “સત્તાવસ્થે સતિ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy