SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) મંત્રીની સ્તુતિથી પ્રસન્ન હૃદયવાળા થયેલા, દાનવીરેમાં અગ્રણી એવા રાજાએ(વિરધવલે) તે કવીશ્વરને તેના ઔચિત્ય સ્થાનમાં ૩ લાખ સેનયા આપ્યા. ત્યાર પછી, રાજાને નમસ્કાર કરીને, તેના આદેશથી રાજાઓ( સામત )થી પરિવૃત થયેલ, પ્રોઢ હાથી પર આરૂઢ થયેલે, સારા વેત છત્રથી અને વીંઝાતા ચામરવડે શોભતા, આસપાસના શત્રુઓને ક્ષોભ પમાડતે, કીતિ–કલ્લોલ કરનારાઓને પગલે પગલે દાન આપતે, વડિલબંધુ(વસ્તુપાલ) સાથે શોભતે તેજપાલ, નિશાન(વાદ્યો)ના ધ્વનિપૂર્વક, જય જય શબ્દ થતાં, પિતાને ઘરે આવ્યું. આનંદિત થયેલી બહેનેએ તેને નીરાજના(આરાત્રિક-મંગલ) ઉત્સવ કર્યો. મંત્રીએ પણ મહાદાનવડે તેમના મનોરથ પૂર્ણ કર્યા. ” * મંત્રીશ્વર તેજપાલે અબુદાચલ મહાતીર્થ પર કરાવેલ લૂણસીહવસહિકા નામના નેમિનાથદેવ–ચૈત્યની જગતીમાં પિતાની ૭ બહેનના શ્રેય માટે પણ વિહરમાણુ અને શાશ્વત જિનેની પ્રતિમાઓથી અલંકૃત દેવકુલિકાએ વિ. સં. ૧૨૯૭ ચૈત્ર વ. ૮ શુક્ર પ્રતિષ્ઠિત કરાવી હતી. ત્યાંના શિલાલેખો પરથી ૧ ઝાલહણદેવી, ૨ માઉ, ૩ સાઉદેવી, ૪ ધણદેવી, ૫ સોહગા, ૬ વયજુકા અને ૭ પદ્મલા એવાં બહેનોનાં નામો જણાય છે. વિ. સં. ૧૨૮૭માં કવીશ્વર સેમેશ્વરે ઉપર્યુક્ત ધર્મસ્થાનની પ્રશસ્તિ [ લે. ૧૭ ]માં “ વાહૂ- માતાક ઘવી-તો-વયgશા પ્રમજીવી વૈષો તેમના સહ સોઃ છે ” આ પ્રમાણે નામે સૂચિત કર્યા છે.
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy