SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) તે( વડેદરા)ની પાસેના ઉત્કોટ(અમેટા) નામના પુરમાં તે મંત્રીએ ધર્મની અભિવૃદ્ધિ માટે આદીશ્વર જિનનું પવિત્ર ધામ કરાવ્યું હતું. એ જ મંત્રીએ વનસર નામના ગામમાં જિનનું મનેહર ચિત્ય કરાવીને ત્યાંના નિવાસીઓનું અતુલ્ય વાત્સલ્ય કર્યું હતું. જિતેંદ્રશાસનના આધારભૂત સદાચારી મુનીશ્વરેનું પૂજન કરીને સચિવે પિતાના જન્મને સફળ કર્યો. જૈન પ્રજાને સન્માન પૂર્વક ધન-દાનવડે સંતેષ પમાડીને તેણે ગુણશાલી લોકેનું ભક્તિપૂર્વક વાત્સલ્ય કર્યું હતું. ધર્મકૃત્યમાં શિથિલ થતા લોકોને દઢ કરીને મંત્રીશ્વરે પોતાને સમીપમાં શિવોદય જણાવ્યું હતું. કહ્યું છે કે—કષાયની શિથિલતા, ઉદારચિત્તતા, કૃતજ્ઞતા, સર્વ જને પર અનુગ્રહ, અંગીકાર કરેલા કાર્યમાં દઢતા, પૂજાનું પૂજન અને ગુણે પ્રત્યે આદર એ ભાવિ-જિનવનું લક્ષણ છે.” ત્યારપછી મંડલાધીશથી મંડિત થયેલ મંત્રી તેજપાલ ઋદ્ધિવડે વિદર્ભો જેવી દર્ભાવતી ડભેઈમાં ( ઈ) નગરીએ પહોંચ્યા. ત્યાંના સ્મારક, નિવાસી કેને બીજાં પ્રજને ભૂલી પહેલીપતિ રાજાના ભયની શંકારૂપી શંકુની વ્યથાથી આકુલ જોઈને બુદ્ધિમાન મંત્રી તેજપાલે નગરીની આસપાસ, મૂલરાજ વિગેરે રાજાઓની મૂર્તિયે ૧, ૨. હી. હં. દ્વારા વિ. સં. ૧૯૬૮માં પ્ર. વસ્તુપાલચરિત્રમાં અનુક્રમે વટ અને સરોવર પાઠ છપાયેલ છે, તે અશુદ્ધ જણાય છે.
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy