SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) એ પ્રશસ્તિયે ઉપલબ્ધ થાય છે. જે સર્વનું ઉદ્ધારણ અહિં અશક્ય છે. વિ. સં. ૧૨૯૯માં મંત્રીશ્વર વસ્તુપાલના સ્વર્ગવાસ થયા પછી પણ, વિ. સં. ૧૩૦૩ માં અણહિલપાટક (પાટણ)માં, મહારાજા વીસલદેવના રાજ્યસમયમાં, મહામાત્ય તેજપાલના અધિકાર વખતે લખાયેલું આચારાંગસૂત્ર–વૃત્તિવાળું તાડપત્ર પુસ્તક ખંભાતમાં ઉપલબ્ધ થાય છે [પીટર્સન રિ. ૧, પૃ. ૪૦ ]. જે પછીના વર્ષમાં વિ. સં. ૧૩૦૪ માં એ મંત્રીશ્વર તેજપાલ દિવંગત થયાને દુઃખદ ઉલ્લેખ મળે છે. ધોળકા (ગુજરાત)ને મહારાણા વીરધવલના પ્રીતિ પાત્ર એ વીર મંત્રીશ્વર તેજપાલે ગધ્રાના ઐતિહાસિક અભિમાની રાજા ઘૂઘુલ પર આક્રમણ ઘટના-નિર્દેશક કરી વીરતાપૂર્વક વિજય મેળવ્યું હતું. એ પ્રસંગ અહિં સૂચવવાનો છે. આ ઐતિહાસિક ઘટનાને સંક્ષેપ–વિસ્તારથી પ્રાચીન બે વિદ્વાનેએ પિતાના ગ્રંથમાં જણાવી છે. હમ્મીર જેવા સ્વેચ્છ વીરેને પણ હંફાવી તેના મદનું મર્દન કરવામાં પણ સફળ અમૂલ્ય સેવા અર્પનારા પ્રતાપી મુત્સદ્દી એ મંત્રીશ્વરને ઝળહળતી કારકિદીવાળો સુસમય વીત્યા પછી પચાસેક વર્ષોમાં દીવા પાછળ અંધારું હોય તેમ ગુજરાત, મુસભાની આક્રમણ અને આધિપત્યમાં મૂકાયે; તે સમયમાં વિદ્યમાન, વિ. સં. ૧૩૮૭ માં પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિ રચનાર તથા રત્નાકરાવતારિકાપંજિકા, ન્યાયકંદલીપંજિકા, ચતુરભીતિપ્રબંધ ( વિનેદકથા-સંગ્રહ–આંતરકથા-સંગ્રહ ), ષદ્દનસમુચય, નેમિનાથ ફાગ વિગેરે રચના કરનાર, વિ. સં. ૧૮૦૧ માં
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy