SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ તેજપાલેશત્રુજય પર રચાવેલ નદીશ્વરના કર્મ સ્થાય માટે કૅટેલિયા જાતિના પાષાણુના ૧૬ થાંભલાએ આ પાવક પર્વતથી જલમાર્ગે આણ્યા હતા. એવા ઉલ્લેખ, વિ. સં. ૧૩૬૧ માં રચાયેલા પ્રખ'ધચિંતામણિ વસ્તુપાલ-તેજ:પાલપ્રમ ધ ]માં મળે છે. પ્રસ્તુત મંત્રીશ્વર તેજપાળે પાવકિરિ( પાવાગઢ ) પર કરાવેલા સતાભદ્ર પ્રાસાદમાં પાવગિરિના મૂલનાયક તરીકે કયા તીર્થંકરની શિખર પર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી ? તે વીર ત્યાં સ્પષ્ટ પ્રતિપાદન કર્યું નથી; તેમ છતાં અન્યત્ર અન્વેષણ કરતાં જણાય છે કે—ત્યાં ભગવાન વીરની પ્રતિમા મુખ્યતયા હતી. ઉપયુક્ત મ ંત્રીશ્વરના સમકાલીન મહેન્દ્રસૂરિ (ધે. જૈન વિધિપક્ષીય ) નામના વિદ્વાન્ આચાર્યે પ્રાકૃત ભાષામાં ૧૧૧ ગાથાપ્રમાણ તી માલા–સ્તાત્ર રચેલું છે; તેમાં અન્ય કાતરકામ અને શિલ્પકળા દર્શાવી છે, તે અજાયખી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈનમ દિશમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે. તેવા જ પ્રકારની આકૃતિએ અત્ર પણ જોવામાં આવે છે. ફેર માત્ર એટલેા છે કે તે જૈનમદિરાના કાતરકામમાં શિલ્પીએ પેાતાની બધી અક્કલ વાપરેલી દેખાય છે. ત્યારે અહિંયા તેની થેાડી રૂપરેષાનું જ જ્ઞાન થાય છે. ''—ચાંપાનેરનાં ખંડિયેરા [ભદ્રકાળી પૃ. ૨૪૭]. —આ લેખકને ખબર નહિ હાય કે આખ્(દેલવાડા )નાં મનેહર શિલ્પકલામય સ્મારકાની રચના કરાવનારે પાવાગઢમાં પણ તેવું સ્મારક રચાયું હતું, જે કાલ–બળે ક્રિવા સત્તા—બળે પલટાઇ ગયું છે!
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy