SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પાઠ-સમીક્ષા રૂપે સ્વીકારાયેલી પ્રત્યેક હસ્તપ્રત એક જ પૂર્વજમાંથી ઊતરી આવેલી હોય એમ અનિવાર્યપણે બનતું નથી. પરિણામે છેવટે એક જ મૂળ સ્રોતમાંથી અવતરેલી હસ્તપ્રતોમાં પણ હંમેશાં પાઠોની એકરૂપતા સંભવતી નથી. જેમને આધારે સંપાદક અધિકૃત વાચના તૈયાર કરે છે તે હસ્તપ્રતોના સંતુલન(collation)થી હસ્તપ્રતોની પરસ્પર સમાનતાઓ સામાન્ય રૂપે સ્પષ્ટ થાય છે. તેને આધારે તે હસ્તપ્રતોનું વર્ગીકરણ કરી શકશે. કોઈ વાર એમ પણ બનવા સંભવ છે કે હસ્તપ્રતો વચ્ચેનું સામ્ય એ પ્રકારનું હોય કે તે પરથી એક હસ્તપ્રત બીજીમાંથી ઊતરી આવી છે એમ નિશ્ચયપૂર્વક પ્રતિપાદિત ન કરી શકાય. છતાં પણ એ સામ્ય બે હસ્તપ્રતો વચ્ચે કોઈ પ્રકારનો પારસ્પરિક સંબંધ સિદ્ધ કરવા પૂરતું હોય. ત્યારે આપણે અનુમાન કરીએ છીએ કે આ સંબંધ મૂળસ્રોતની એકતામાંથી ઉદ્ભવે છે. આ રીતે આપણે હસ્તપ્રતોના કુટુંબ વિષેના ખ્યાલ તરફ આવીએ છીએ. હવે આપણે એમ ધારી લઈએ કે કોઈ એક ગ્રંથની આઠ હસ્તપ્રતો મળે છે. તેમને આપણે , ૭, ૧, ૨, ૪, છ, જ, એવાં નામ આપીએ. હવે જો આપણને એમ માલૂમ પડે કે આ હસ્તપ્રતોમાં ય હસ્તપ્રત પાઠોની વિશિષ્ટતાની દૃષ્ટિએ અલગ તરી આવે છે અને બાકીની સાતમાંથી એકેયની સાથે ખાસ સમાનતા દર્શાવતી નથી, વળી એક તરફ ઉં, , અને બીજી તરફ , , ૪, ૫, ૩ બીજી પ્રતોથી ઠીક ઠીક જુદી પડતી હોવા છતાં પરસ્પર સારું એવું સામ્ય ધરાવે છે, તો આ હકીકતને આપણે એ રીતે દર્શાવી શકીએ કે , , એક જ કુટુંબ કુળ)ના સભ્યો છે, જે એક સામાન્ય કાલ્પનિક પૂર્વજ - જેને માટે આપણે “ એવી સંજ્ઞા પ્રયોજીએ - માંથી ઊતરી આવેલા છે. તથા ૧, ૨, છ, જ, ફ બીજા કુટુંબના સભ્યો છે, જે એક સામાન્ય કાલ્પનિક પૂર્વજમાંથી ઊતરી આવેલ છે, જેને આપણે જ એવું નામ આપીએ. હસ્તપ્રતોની અવિરત સંચરણ પ્રક્રિયામાં અશુદ્ધિઓ કેવી રીતે પ્રવેશતી હોય છે તે આપણે અગાઉ જોયું છે. આ પરથી જો આપણે એવી અપેક્ષા રાખીએ કે ૪ અથવા જ માંથી કોઈના પણ પાઠો કરતાં “ક્ષના પાઠ વધુ શુદ્ધ હશે તો તે તર્કસંગત છે, અને “ક્ષ એ હ તથા આ હસ્તપ્રતોનો માની લીધેલો મૂલસ્રોત હોવાથી “ક્ષના પાઠ ઘ અને માંથી કોઈ એકના પાઠ કરતાં વધુ પ્રાચીન તેમજ પ્રમાણભૂત હશે. સ્વાભાવિક રીતે જ ક્ષ ના પાઠ અને 1 ના પાઠોની તુલના દ્વારા મેળવવાના રહે છે, કારણ કે જો “I” વર્તમાન હોય તો અને માંથી કોઈ પણ એકના કરતાં “ વધુ પ્રાચીન અને પ્રમાણભૂત છે - એ હકીકતની આપણે ચકાસણી કરી શકીએ, તથા અને ૪ ના પાઠમાં લહિયા દ્વારા પ્રવેશ પામેલી કેટલીક ત્રુટિઓ - અશુદ્ધિઓને તો અવશ્ય સમજાવી શકીએ. તે જ રીતે “જેના પાઠ ઘ, ચ, છ,
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy