SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ધારી લે તે પણ તેમને લાગણીઓનું પ્રદર્શન કરવાનું ગમતું નથી. જે તેઓ ધાર્મિક હોય તે તેઓ ધમધ, ધર્મચુસ્ત કે મરજાદી બને છે. દલીલો કે વિરોધાની પરવા કર્યા વિના તેઓ જે કોઈ બાબત હાથમાં લે છે તેને પૂરી કરવા પ્રયત્ન કરે છે. આ લોકો માટે ભારે સફળતા કે ભાર નિષ્ફળતા નિમાયેલી હોય છે. તેમના માટે સફળતા અને નિષ્ફળતા વચ્ચેને મધ્યમ માગ હોતું નથી. દુન્યવી સુખસમૃદ્ધિની દષ્ટિએ આ અંક નસીબદાર નથી ગણાતા કારણ કે આ અંક વાળાઓને જીવનમાં રોગ, દુઃખ, ચિંતા શોક, નિરાશા, અકસ્માત, મુશ્કેલીઓ તથા કાર્યમાં ઢીલ કે વિલંબના સામનો કરે પડે છે. જે આ લોકો મહત્વાકાંક્ષી હોય તો તેઓનું ધ્યેય સામાજીક જીવન કે કોઈપણ પ્રકારની સરકારી જવાબદારી વાળું સ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે. ઘણી વખત તેઓ આત્મસમર્પણ કે આત્માગ માગતા ઊંચા હોદ્દા ઉપર કામ કરે છે. આ લોકોને એમ લાગે છે કે તેઓ બીજાઓ કરતાં વિશિષ્ટ અને જુદા જ પ્રકારના છે. આ અંકની શુભ અસર તળે આવેલા લોકો વાસ્તવિક્તાને સમજનારા, ચીવટવાળા, ખંતીલા, ધૈર્યવાન, સખત પરિશ્રમ કરનારા, ચિંતક, તત્વજ્ઞ, ગૂઢ વિદ્યાને અભ્યાસી, ઉત્સાહી અને ધ્યેયપ્રાપ્તિ માટે સર્વસવ કરી છૂટનારા અને દેવીવાદી હોય છે. આ લોકમાં અંતપ્રેરણા શક્તિ હોય છે. અને તેમને ગૂઢ તથા રહસ્યમય અનુભવે પણ થાય છે. તેમને વિચિત્ર સવા આવે છે કે જે અગમ ચેતવણું રૂપે હોય છે. તેમને કોઈ કોઈ વખત અંતઃસ્કૂરણથી ભાવિ બનાવની આગાહી થાય છે. આમ તેઓ સવ દષ્ટિ અને ભવિષ્ય દષ્ટિવાળા પણ હોય છે. જે અંક ૮ ની સાથે ચંદ્ર અને ગુરુ પણ શક્તિશાળી હોય તો તેને
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy