SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ તેમના સ્વાર્થ કે હિત માટે નહીં પણ જેમને અન્યાય થર્યો હોય તેવા તેમના મિત્રો કે સંબંધીઓ માટે વાપરે છે. આ લોકો દુન્યવી અને આર્થિક સફળતા માટે ઘણી જ ઓછી પરવા કરતા હોય છે. આમ છતાંય તેઓ તેમના મૌલિક વિચારો અને ધંધાકીય રીતરસમોથી સારું એવું ધન કમાય છે. જે તેઓ ધનવાન બને તો તેઓ તેમનું ધન દેશવિદેશના વારંવાર પ્રવાસો કરવામાં, પુસ્તકો ખરીદવામાં કે સંસ્થાઓને દાન કરવામાં વાપરે છે. તેઓ દેશવિદેશની બાબતમાં ઘણે જ રસ લે છે. તે પ્રવાસના પુસ્તકોના તો ખાસ શોખીન હોય છે. તેમને આખીએ દુનિયાનું સારું એવું જ્ઞાન હોય છે. તેમનું મન તો જાણે જ્ઞાનકોષ ન હોય ! પણ તેમની શારીરિક સ્થિતિ સંતોષકારક હોતી નથી. ઘણીવાર તેઓ સારાં લેખકો, કવિઓ કે ચિત્રકારો બને છે. જીવનમાં તેઓ વહેલા કે મેડા એક વિશિષ્ટ પ્રકારની વિચારસરણી ધરાવતા થઈ જાય છે. અને આ વિચારસરણની અસર તેમના જીવનમાં તેમનાં કાર્યો કે કૃતિઓમાં પડયા વિના રહેતી નથી. તેમના ધાર્મિક વિચારો પણ વિશિષ્ટ અને વિલક્ષણ હોય છે. તેમને રૂઢિગત વિચારે ગમતા નથી અને તેથી તેઓ તેમને મનપસંદ ધર્મ ઉપજાવી કાઢે છે કે શોધી લે છે. તેમનાં સવનો વિશિષ્ટ નેધપાત્ર અને વિલક્ષણ હોય છે. તેમનામાં અંત:પ્રેરણશક્તિ તથા ગૂઢ વિદ્યાઓ પ્રત્યે પ્રેમ અને માન હોય છે. તેમના વ્યક્તિત્વના પ્રભાવથી બીજાએને શાંતિ મળે છે. તેમના ધંધા સંબંધી વિચારો મૌલિક અને કીમતી હોય છે. પણ તેને અમલ તેઓ ઘણું જ ઓછો કરે છે. તેમને સમુદ્ર અને સમુદ્ર સાથે સંબંધ ધરાવતી વસ્તુઓમાં ધણે જ રસ હોય છે. તેમને
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy