SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અને સંતષમાં માનતા હોય છે. જેમાં, રાકટર કેસ કહે છે કે આ અંકવાળી વ્યક્તિની આસપાસ અને જાતિના (પુરુષ તેમજ સ્ત્રી) મિત્રે ટોળે વળે છે કે એકઠા થાય છે કારણ કે તેમની સાથે કામ કરવું અનુકૂળ અને સહેલું હોય છે, તેમના ભરોસે (વિશ્વાસે) જીવવામાં કંઈ જ નુકસાન નથી. જીવનની હાડમારી ઓ અને ઝંઝાવાતમાં તેઓ સારા એવા આશ્રયદાતા બને છે. આ લોકો રટ્ટા, લેટરી વગેરે બાબતોમાં ભાગ્યશાળી હોય છે, જે ભાગ્યાંક ચાર હોય તે જીવનચેય ભૌતિક ચીજોનું ઉત્પાદન બને છે અને મુદ્રાલેખ સેવા હોય છે. આ લોકો સહેલાઈથી એન્જિનિયરો, શિક્ષકો, મિકેનિક, કેમિસ્ટ, ઈલેકિટ્રશિયન, આર્કિટેકટ કે ધંધાદારી બની શકે છે. જે કામ માટે શક્તિ, બુદ્ધિ, અને શારીરિક સહનશીલતાની જરૂર પડે તેવાં કામ તેઓ સારી રીતે કરી શકે છે. તેમની મુખ્ય ખામી એ છે કે તેઓ ઘણા જ લાગણીશીલ હોય છે અને તેમને નજીવી વાત કે બાબતમાં તેમને છેટું લાગી જાય છે. ઘણી વખત તેમને એકલવાયાપણું કે સૂનાપણું લાગે છે, દુનિયામાં તેમનું કાઈ નથી તેવી લાગણી તેમને થયા કરે છે, જે તેમને જીવનમાં સફળતા નથી મળતી તો તેઓ નિરાશ અને હતાશ બની જાય છે. - તેમના ભાગ્યશાળી દિવસે શનિ, રવિ અને સેવા છે, અને જે આ દિવસેએ ઇ, ૧૩, ૨૨ અને ૩૧ તારીખે આવે તો તે દિવસે વધારે ભાગ્યશાળી બને છે. જે આ તારીખ અને દિવસો ૨૫મી જૂનથી ૧૭મી ઓગસ્ટ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy