SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) રીને આપવી જોઇએ. એવા પ્રસ ંગે શ્રી નંદીશ્ર્વર દ્વિપમાં શ્રી ન... દીશ્વરની યાત્રા કરવા સારૂ સર્વ વિદ્યાધરા પોતાના પરિવાર તથા ઉદ્ધિ સહિત ગચા હતા, ત્યાં મલ્હાદર જા પણ ગયા હતા; તેમ જ મહેદ્ર રાજા પણ ગયો. તેની પાસે મલ્હાર્દ પોતાના પુત્ર પવનજય સારૂ તેની કન્યા અંજનાસુંદરીની માગણી કરી. પ્રથમજ તે મહેદ્ર રાજાના મનમાં આવ્યાથી તે કહેણ તેણે માન્ય કર્યું. મલ્હાદનું કેહેવું તે નિમિત્ત માત્ર થયું. પછી તે દિવસથી ત્રી જે દાહાડે લગ્ન કરવાના ઠરાવ કરયા. યાત્રા કરી સર્વ પોત પોતાના ઠેકાણે ગયા. તેમજ મહેંદ્ર રાજા તથા મલ્હાદ રાજા મનમાં રાજી થઇને બેઉએ માનસ સરાવર ઉપર જઇને ડેરા કર્યા. એ વાતની પવનજયને ખખર પડતાંજ પેાતાના મહસિત નામના મિત્રને કહેવા લાગ્યા કે, અંજનાસુંદરીની સાથે મારૂં લગ્ન થવાનું છે, તે પોતે કેવી છે ? તેને તે જોઈ છે? તે સાંભળીને તથા તે મહસિત કાંઈક હશીને તેને કેહેવા લાગ્યા કે, હે પવનજય મેં અજનસુંદરીને દીઠી છે, તે ૨ભાદિક અપ્સરાઓથી પણ સુંદર છે, કોઈના ઉપમા જેને દેવાય નહી,, ને એનુ રૂપ જેવુ દેખાય છે તેવુ વર્ણન કરવાને મહા પંડિત પણ સમર્થ ન થાય. ખી તે હું શું કહું ! એમ સાંભળીને કહેવા લાગ્યેા કે હે મિત્ર, વિવાહના ક્રિ વસ ધણા દુર છે, તે મને તો તેને જોવાની ઈચ્છા ઘણી છે, તે પુર્ણ કેમ થાય ? કહ્યું છે કે “સીની અભિલાષા વાળા પુરૂષાને એક ઘડી દિવસ જેવી જાય છે, દિવસ માસની પેઠે જાય છે” અહિં તે। ત્રણ દિવસ જવાના છે, તે કેમ પુરા થશે? ત્યારે હસિત કહેવા લાગ્યા કે હે પવનજય ધૈર્યને મુક નહીં, આજ રાતે કોઇને ન કળતાં આપણે તેના ઘેર જઈશું. એમ કહીને તેને શાંત કર્યા. એટલામાં રાત્ર થઈ ત્યારે સકેત પ્રમાણે બેઉ જણા અંજ નસુંદરીના ઘરના સાતમા માળ ઉપર જ્યાં તે રહેતી હતી ત્યાં જઈને તેની ખાહેર એક બાજુ ઉભા. અનસુદરીનાં છીદ્ર જોવા સારૂ રાજાએ એક કાણુ જોઈ કહાડયું, તેમાંથી જોવા લાગ્યા. તે વખતે અજનસુંદરીની દાસી વસંતતિલકા તેને કહેવા લાગી કે હે સ્વામિણી, તને પવનજય પતિની પ્રાપ્તિ થઈ માટે તુ ધન્ય છે, ને તારા જેવી ભાગ્યશાળી આજે બીજી કોઈ નથી. એટલામાં તેની પાસે ઉભેલી ખીછુ મિશ્રકેશી નામની તેની સખી વસંતતિલકાને કહેવા લાગી કે હું સખી, ચર્મ શરીરી જે વિદ્યુતપ્રભ રાજા, તેને મુકીને ખીજા કયા વરની સ્તુતિ કરે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy