SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) વાને કારણે દુષ્ટ બતાવ્યું છે તેવારે નારણ રાવણ મતે કહેવા લાગ્યો. I હે રાજન શુદ્ધીમતી નામની એક નગરી છે તેમાં અભિચંદ્ર નામનરાજા રાજ્ય કરતો હતો તેને એક વસુ નામનો પુત્ર થયો, તેજ નગરીમાં એક ક્ષીર કદંભક નામનો બ્રાહ્મણ રહેતો હતો તેને પર્વત નામનો એક પુત્ર હતા, તે ક્ષીર કદંભ નામના ઉપાધ્યાય પાસે હુ તથા તેનો પુત્ર પર્વત અને અભિચંદ્ર રાજાના પુત્ર વસુ એ ત્રણે જણ ભણતા હતા, કોઈ એક સમે રાતના સામે આ કાશ મા બે ચાર મુનીયો જતા થકા બોલવા લાગ્યા છે આ ઉપાધ્યાના ત્રણ શિષ્ય છે તેમાં બે નર્ક જશે ને એક સર્ગે જશે, એ શબ્દ અમારા ગુરૂએ સાંભળ્યું તેથી પોતે વિચાર કરવા લાગ્યા જે માહાર ભણાવેલા શિહો નર્ક જાપ તે સારૂ નહીં પણ જે ભાવભાવ છે તે મટવાનું નથી તો પણ પારખુ તો જો કે કોણ નકે જશે ને કોણ સર્ગે જશે એમ ચીંતવીને ઉપા દાયે લોટના ત્રણ કુકડા બનાવીને અમને ત્રણે જણને બોલાવી કહેવા લાગા જે કોઈ ના દેખે તેવી જગાએ જઈને આ અકેકજણ અકેક કુકડે મારી આવો પછી સુ અને પરવત તે કઇ ઉજડ જગામાં જઈને અહીયાં કોઈ દેખતું નથી એમ ધારી મારી આવ્યા અને હું પણ નગરની બાહર લાંબે છે. જઈને એક મુખ્ય મહેસમાં ઉભે રહ્યા પછી વિચાર કરવા લાગે છે આઈ તો આ કુકડો પિતે દેખે છે, હું દેખું છું, સંપૂર્ણ ખેચર દેખે છે લોકપાલ દેખે છે, તેમજ જ્ઞાની દેખે છે. એવું કોઈ ઠેકાણું નથી કે જ્યાંહાં કોઈ કોઈને દેખે નહી. ગુરૂના બોલવાનું તાત્પર્ય એટલું જ કે, કુકડાને માર નહી. તે દયાળ તથા પરોપકારી હોવાથી અમારી બુદ્ધિની પરિક્ષા લે વા સારૂ આ કામ કર્યું જણાય છે. એ વિચાર કરીને તથા તે કુકડાને પાછે જેમને તેમ લાવીને પાછો ગુરૂની પાસે આવીને તેને ન માનવાનું સ4 કારણ કહી સંભળાવ્યું. તે ઉપરથી ગુરૂએ જાણ્યું કે આ સ્વર્ગમાં જશે. પછી મોટી પ્રીતીવડે મને આલિંગન કર્યો, ને રાજાના પુત્ર વસુએ તથા પતાના પુત્ર પર્વતે કુકાને મારીને આવી કહ્યું કે જ્યાંહાં કોઈએ દીઠું નહીં તેને અમે સારશે, ત્યારે ગુરૂ તેમને કહેવા લાગ્યા કે, રે મુખ તમે પોતે દેખતા હતા, તથા બીજા પણ ખેચરાદિક ઘા રખતા છતાં તમે કેમ માર્યો? માટે તમે પાપી છે, એવો ગુરૂએ તેમને શ્રાપ આપ્યો. અને ઉપાધ્યાયને ખેદ થયો કે મેં એમને અમસ્તા ભણવ્યા, એ બેઉને વિદ્યાનું ફળ કલેશ માત્ર છે, સ્વચ્છ પાત્રમાં ગુરૂના ઉપદેશને સારો ઉપયોગ થાય છે, ને મલીન પાત્રમાં - - - - - - - - - = = = =
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy