SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૫) તા ડીકજ છે, નીકર તેના ત્યાગ કરવા. હે પ્રભા રાવણે જાનકીને હરણ ૪રીને તેને એકલીજ તે લેઈ ગયા. તેના ઘેર તે ઘણા દિવસ રહી, રાજીખુશીથી તિરાથી, અથવા બળાત્કારે સ્રી લપટ જે રાવણ તેણે નિશ્ચયે કરી સીતાને દુષિત કરી છે, અને સર્પ લેાક પણ એમ કહે છે. તેમજ અમે ૫ણ કહીએછીએ. હે રઘુહ એવા ચુક્તિ ચુત જે પ્રવાદ [ અપવાદ ] તે તમને સહન કરવા યોગ્ય નથી. હે દેવ એ પ્રવાદના સહનથી પોતાના કુળની પેઠે જન્મથી મેળવેલી જે કિરતિ તેને મલીન કરેા નહી. એવુ સાંભળીને તથા સીતાના અપવાદના નિશ્ચય કરીને દુ:ખે કરી પીડાણા થકા રામ સુગા બેશી રહ્યા. કહ્યું છે કે “ એકાએકી પ્રેમના ત્યાગ થતા નથી. ’” પછી ધૈર્ય ધારણ કરીને તેમને રામ કહેવા લાગ્યા કે; તમે સારી વિ નંતી કરી. કહ્યું છે કે, “ ભકત પુરૂષ કયાંએ ઉપેક્ષા કરતારા નથી. ” એ ક સ્ત્રીને માટે હું અપયશ સહન કરનાર નથી, એવી પ્રતિજ્ઞા કરીને રામે તેમને જવાની આજ્ઞા કરી. તે ત્રના સમયે છાની રીતે ઘેરથી ખાહાર નીકળીને રામ ગામમાં ફરવા લાગ્યો. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકેાની વાણી સાંભળી. તે આવી રીતેઃ- રાવણ સીતાને લઈ ગયા પછી સીતા તેના ધે ર ઘણા દહાડા રહી. તેને ફરી રામ લઇ આવ્યા, અને તેને.તે હજી સુધી પ્રતિવ્રતા માની રહ્યા છે રાવણ સીતાની ઉપર આશકત થઇ તેને લઇ ગયા છતાં શું તેના તેણે ઉપભાગ લીધો નહી હોય ? તેના હજી રામને વિચાર થતા નહી હોય કહ્યું છે કે, “અનુરાગી પુષો દોષ જોતા નથી.” એવી રી તે લોકાપવાદ સાંભળીને રામ પાછો પાતાના ઘેર આવ્યે ફરી લેાકાપવાદ સાંભળવા સારૂ પાતાના સેવકોને છાની રીતે મેાકલ્યા. પછી રામ પોતાના મ નમાં વિચાર કરવા લાગ્યા કે, જેના સારૂં ભયંકર રાક્ષસેાના કુલના મે નાશ કરયે. તેની ઉપર આ કલક કેવા? સીતા મહાસતી છે, તે હુ પાકી ૨ીતે જાણું છું; અને તે રાવણ સ્રી લંપટ હતા, તેથી આ અપવાદ થાય છે. મારૂ કુલ કલંક રહિત છે, તેની ઉપર આ કલંક ચહયું. હવે રામ શું કેરશે ? એટલામાં તે સેવકોએ લેાકાપવાદ સાંભળીને રામ અને સુગ્રીવ આદિક ની પાસે બેઠેલા લક્ષમણને આવી કહ્યું. ત્યારે લક્ષમણ ક્રાયઞાન થઈને કહેવા લાગ્યા કે, આ પતિવ્રતા સીતાની જે કોઇ નિંદા કરે છે, ગેના હુ કાળ છુ. એવુ સાંભળીને તેને રામ કેહવા લાગે છે, પ કહ્ય, આ સેવકે એ પણ કહ્યું, ગય
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy