SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ . જો અથ શ્રી આઠમે બંડ પ્રારંભતે wwwwww પિતાનો સ્વામી રાવણ મરણ પામ્યો. તે જોઈને રાવણનું સેન્ય ભયભીત થઈ ગભરાવવા લાગ્યું તેવારે તેની પાસે જઈને બિભીષણ સમજાવવા લાગ્યા કે, આ રામ લક્ષ્મણ આઠમા બળદેવ વાસુદેવ છે, તમે એથની શરણે જાઓ. એવું સાંભળીને સર્વ રાક્ષસ રામ લક્ષ્મણની શરણે ગયા. તેમની ઉપર રામ લક્ષ્મણે કૃપા કરી. કહ્યું છે કે, “ધીર પુરૂષની પ્રજા ઉપર સમદ્રષ્ટિ હોય છે.” પછી બિભીષણે ભાઈ મુ એમ જાણુને શોકના આવેશથી મરવા સારૂ એક છુરી હાથમાં લીધી. ને તે પેટમાં ખોસવાનો વિચાર કરે છે, એટલામાં રામે તેને પકડી લીધા પછી બિભીષણ મંદોદરી સહિત રાવણની પાસે જઈને હા, ભાઇ, હા, ભાઈ! એવી રીતે કરૂણ સ્વરે કરી રડનાર જે બિભીષણ, તેને લક્ષ્મણે તથા રામે આગળ થવાના પ્રકારનો બોધ કરો. સંગ્રામમાં જેની આ ગળ દેવ પણ ભયને પામ્યા. એવા પરાક્રમી રાવણનો શોક કરવો યોગ નથી આ શુરવીર પણાએ મુવો તેથી જગતમાં એની કીત થઇ છે. માટે હવે એ ની પ્રેતક્રીયા કરો. રડવાથી શું થવાનું છે. એમ કહીને નાગપાશાદિકે બંધા યેલા જે કુંભકરણાદિક વીરે, તેમને મુકીને રામે સારી રીતે સમજાવ્યા. પછી બિભીષણ, કુંભકરણ, ઈદ્રજીત, મેઘવાન, તથા મંદોદરી આદિક બીજા રાક્ષસે ગોરોચન, કપુર, અગરૂ, ઇત્યાદિકે કરીને રાવણનાં અંગસંસ્કાર કરો. રામે પદમ સરોવર ઉપર આવીને સ્નાન કરવું. તેમજ કુંભકરણાદિ કોએ પણ સ્નાન કરીને પછી લક્ષમણની સાથે રામ, કુંભકરણાદિકને કહેવા લાગ્યો કે, પ્રથમની પેઠે હવે પણ તમે પિત પિતાના રાજ કરો. તમારી રાજ લક્ષમી અમારે લેવી નથી. તમારૂ કલ્યાણ થાઓ. એવું રામ બોલ્યા પછી એક વખતેજ શોક અને આશ્ચ કરીને કુંભકરણાદિક બોલવા લાગ્યા. તે મને હાભુજ, આ મોટા રાજથી અમને કાંઈ પ્રયોજન નથી. અમે તો મોક્ષ આપ નારી દિક્ષા માર્ગ લઈએ છીએ, હમણાં કુસુમાયુધોઘાનમાં અપ્રમેયબલ ના મન ચતુરજ્ઞાની એક મુનિ આવ્યા છે, ત્યાં જ તે રાત્રે તેમને કેવલજ્ઞાન ઉત્પ = થયું છે. તે વખતે એ કેવળજ્ઞાન મહોત્સવ કરો. એવું સાંભળીને સ |
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy