SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ : - - * MM * * * - * * * ** (૧૫૩) એવું બિભીષણનું બોલવું સંભાળીને રામે સુગ્રીવના સામુ જોયું ત્યારે સુગ્રીવ કહેવા લાગ્યો જે સ્વભાવે કરીને રાક્ષસો અકશુદ્ર છે અને જન્મના કપટી છે. તો પણ એ બિભીષણને આવવા દેવો જોઈએ તેને અહીંયાં આ વ્યા પછી ખાતરી કરીશુ કે તે કપટથી આવ્યું છે કે કાંઈ ખરા કારણથી શુધઅંતઃકરણથીજ આપણી તરફ આવ્યો છે, તેની ખાતરી કરીને પછી આ પણને જેમ અનુકુળ આવશે તેમ કરીશું. એવી રીતે રામની સાથે સુગ્રીવ બોલે છે તેટલામાં એક નીષકપટી અને ધર્મનો જાણવાવાળો રાક્ષસ કેહેવા લાગ્યો કે એ બિભીષણે રાવણ પાસેથી સીતા રામને પાછી અપાવવા વિષે રાવણને ઘણું સમજાવ્યું તેનું નહી માનતાં રાવણે તેને લંકામાંથી જવાનું કહ્યું તેથી તે રાવણને અન્યાઓ જાણીને તથા તેની સાથે અણબનાવ કરી તમારી તરફ આવ્યો છે. અરથાત તમારે શરણે આવ્યો છે, એ વાતમાં કાંઈ પણ અદેશ રાખશે નહી. એવુ તેનુ બોલવું સાંભળીને પછી રામે બિભી પણને પોતાની પાસે બોલાવ્યો તેવારે તેણે આવીને રામને નમસ્કાર કરયો, ત્યારે રામે તેને આલિંગન કરવું. તેવારે બિભીષણ કેહેવા લાગ્યા, હે રામ દુરજય જે રાવણ તેને મુકીને હું તમારી તરફ આવ્યો છું. હું તમારે સેવક છું માટે તમારા બીજા સામંતોની પઠે મને પણ આજ્ઞા કરો, એવું તેનું વિનયપુર્વક બેર્તિવું સાંભળીને રામે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે આ લંકાનુ રાજ હુ તનેજ આપીશ, કહ્યું છે કે મોટા પુરૂષોને નમસ્કાર કસ્યાનુ ફળ જતુ નથી બહાં રામ હંસદ્વીપમાં આઠ દિવવશ રહીને પોતાના સૈન્ય સહિત લંકા નગરી ની બહાર આવી પડાવ કીધે. તેવારે રામના સેન્ચે વીસ જોજન પ્રથવી રોકી તે સેન્યના ઘુઘાટે કરીને આખી લંકા નગરી બેહેરી થઈ, એવુ જોઈને રાવણના દ્ધાઓ હાથમાં હથીયાર લઈને રણભુમીમાં આવ્યા, તેમાંના કેટ લાએક ધેડા ઉપર તથા કોઇ હાથી ઉપર કોઈ રથ ઉપર ઇત્યાદિક વાહને ઉપર બેસીને તથા પગે ચાલીને એવી રીતે રાવણ પાસે આવ્યા, તેવારે રાવણ પણ અનેક પ્રકારના હથીયારોથી ભરેલા એક રથમાં બેસીને તઈયાર થયો તીહાં કુંભકરણ એક હાથમાં ત્રશુળ લઈને તથા ઇંદ્રજીત અને મેઘવાહન રાવણના બે પુત્ર બે બાજુ ઉપર આવીને ઉભા, બીજા પણ રાવણના અનક પુત્ર તથા ધાઓ આદી કોટીગમે શુરવીર યુદ્ધ કરવાને તયાર થયા એવી રીતે અસંખ્ય મેન્ય સહિત રાવણ લંકામાંથી બહાર નીકળ્યો. તે વખ તે સુરવીરેએ હાથમાં હથીયાર તથા ધ્વજાએ ધારણ કરેલી તે ધ્વજાઓના * ** *** * *** * **→ * * * * * * * * * * * * * * * * **** *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy