SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ અવ્યક્તવાદ નિલવવાદ જીવને દોષ લાગતો નથી ? તો કહે છે કે વિશુદ્ધ જીવને અર્થાત્ નિર્મળ અધ્યવસાયવાળા જીવને, આખી વાતનો સાર એ છે કે નિર્મળ અધ્યવસાયવાળા અને ભાવથી જિનેશ્વરની પ્રતિમાજીને નમસ્કાર કરનાર આત્માને જિનેશ્વરપણાની બુદ્ધિ હોવાથી કોઈ દોષ લાગતો નથી. ગુરુજી કહે છે કે જો આમ જ છે તો મુનિપણાની બુદ્ધિ રાખીને મુનિને ભાવથી નમસ્કાર કરનારા વિશુદ્ધ જીવને શું દોષ લાગે કે જેના કારણે તમે બધા પરસ્પર બન્દન કરતા નથી. ત્યાં વન્દન ન કરનારા સાધુઓમાંથી કોઇક પ્રશ્ન કરે છે કે “હે ગુરુજી ! જો આમ આપણી બુદ્ધિ શુદ્ધ હોય તો પ્રતિમાજીને વંદન કરવામાં દોષ ન લાગતો હોય તો લિંગ માત્રને ધારણ કરનારા એવા પાર્શ્વસ્થાદિ શિથિલાચારી સાધુઓને પણ મુનિપણાની બુદ્ધિ રાખીને જો નમસ્કાર કરવામાં આવે તો પણ કંઈ દોષ લાગે નહીં. આવો જ અર્થ થશે. આવો જો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન બરાબર નથી પાર્શ્વસ્થાદિ तदयुक्तम् મુનિઓમાં તો સમ્યગ્દર્શન જેવા પ્રાથમિક ગુણ પણ નથી માટે આ દલીલ બરાબર નથી. સમ્યગ્દર્શનાદિ પ્રાથમિક ગુણોનો પણ તેઓમાં અભાવ જ છે. આ વાત કેવી રીતે જણાય ? તો ગુરુજી કહે છે કે “આનાં વિજ્ઞાìળ” ઇત્યાદિ ગાથામાં કહેલાં મુનિપણાનાં જે લિંગો છે. તે લિંગો તેઓમાં જરા પણ દેખાતાં નથી. – = તેથી પ્રત્યક્ષ દોષવાળા પાર્શ્વસ્થ આદિ મુનિઓને વંદનાદિ વ્યવહાર કરનારા ગૃહસ્થોને સાવઘની અનુમોદના કર્યાનો દોષ લાગે જ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે "जइ चेलं बगलिंगं, जाणंतस्स नमओ हवइ दोसो નિદ્ધમાં ય નાળ, વંડમાળે ધ્રુવો ોસો ॥ ફ્ ॥” - ભાવાર્થ મુનિપણાના વસ્ત્રને ધારણ કરનારા અને (આચાર વિના) બગલાની જેમ ધારણ કરેલા ખોટા આચારવાળાને જાણી બુઝીને નમસ્કાર કરવાથી દોષ લાગે છે તે સાધુ નિર્ધ્વસ પરિણામવાળા છે આમ જાણવા છતાં જો વંદન કરવામાં આવે તો અવશ્ય દોષ લાગે જ છે. જ્યારે પરમાત્માની પ્રતિમા તો દોષયુક્ત આચરણ વિનાની છે. માટે તેને વંદન કરવામાં સાવઘની અનુજ્ઞા ન હોવાથી કોઈ દોષ લાગતો નથી II ૨૩૬૮ ॥ અવતરણ :- અહીં ફરીથી શિષ્યનો અભિપ્રાય જણાવીને તેની શંકાને દૂર કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy