SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ નિહ્નવવાદ આ પ્રમાણે સર્વે પણ નિદ્ભવો પરસ્પર એકબીજાને બે બે દૂષણ આવે છે. (૧) ખોટા એવા પરમતનો સ્વીકાર અને (૨) સાચા એવા પણ મારા મતનો અસ્વીકાર. આમ વિવાદ કરે છે. આ જ પ્રમાણે પ્રાદેશિકનિદ્ભવ બહુરતને ઉલટી રીતે બે દોષ આપે છે. તથા આ જ પ્રાદેશિક નિદ્ભવ ત્રીજા અવ્યક્તકાલવાદી નિદ્વવને કહે છે કે તમને પણ બે દોષો આવે છે. (૧) એક તો દોષથી ભરેલો એવો તારો પોતાનો મત તે જે સ્વીકાર્યો છે તે દોષ અને (૨) બીજો નિર્દોષ એવો મારો મત તું નથી સ્વીકારતો તે દોષ આ જ પ્રમાણે અબદ્ધદષ્ટિવાળો નિહ્નવ પણ ઐરાશિક મતવાળા નિહ્રવને ઉલટી રીતે બે દોષો આપે છે આ પ્રમાણે બહુરત આદિ નિહ્નવો અવ્યક્ત આદિ નિહ્નવોની સાથે બે બે દોષ વડે અનુક્રમે વિચારવા સર્વ નિહ્નવોમાં બે નિદ્વવો જયાં ભેગા થાય ત્યાં પરસ્પર યશોક્ત બે બે દોષો આપતા હતા. (૧) તમારો મત ખોટો છે દોષિત છે તેને તમે સ્વીકારો છો તે પ્રથમ દોષ અને (૨) મારો મત સર્વથા નિર્દોષ છે તે તમે નથી સ્વીકારતા આ બીજો દોષ. પ્રશ્ન :- અબદ્ધિક નામનો જે નિદ્ભવ છે તે આત્માને જે કર્મ લાગે છે તે માત્ર સૃષ્ટ અને અબદ્ધ જ હોય છે આવી તેની એક માન્યતા છે. તથા પચ્ચકખાણ થાવજીવ એવા માપ વિનાનું જ કરવું જોઈએ અર્થાત પરિમાણ રહિત જ કરવું જોઈએ આવી બીજી માન્યતા આમ બે માન્યતા શાસ્ત્રાનુસારી સ્વીકારતા નથી. આવી વાત તમે પહેલા આ મત સમજાવ્યો ત્યારે કરી છે તેથી આ વાદી પ્રતિયોગીવાદીને ત્રણ દોષો આપશે. પોતાની માનેલી બે વાત સામેનો વાદી નથી માનતો તે બે દોષો અને સામેનો વાદી નવો જે અભિપ્રાય ધરાવે છે તે એક માન્યતા દોષયુક્ત છે એમ કુલ ૩ દોષો આવશે. અબદ્ધિક નિદ્ભવ બહુરતવાળા નિહ્નવને આમ કહેશે કે તને ત્રણ દોષો આવે છે. પ્રથમ તો મારી નિર્દોષપણે માનેલી બે માન્યતા તું નથી સ્વીકારતો તે બે દોષ તથા વળી તારી પોતાની માનેલી દોષવાળી માન્યતાથી ભરેલો પદાર્થ તું જે કલ્પે છે તે એક દોષ આમ કુલ તને ત્રણ દોષો આવશે. આ જ પ્રમાણે બહુરત નિદ્રવ પણ અબદ્ધિકનિદ્વવને ઉલટી રીતે ત્રણ દોષો આપશે. આ રીતે અબદ્ધિક નિદ્ભવની સાથે પ્રતિયોગી નિહ્નવોના વિચારમાં સર્વ ઠેકાણે ત્રણ ત્રણ દોષો જ આવશે તો પછી એક એક નિદ્વવને બે બે દોષો આવશે ? આમ કેમ કહો છો ? ઉત્તર :- તમારો પ્રશ્ન સાચો છે અબદ્ધિકનિદ્રવને વ્યક્તિની અપેક્ષાએ વિચારીએ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy