SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ પંચમ નિદ્વવ આર્યગંગ આચાર્ય આમ શિષ્ય કહે છે ગુરુજી કહે છે કે તે અનેકપર્યાયોનું કથન છે પરંતુ ઉપયોગની અનેકતા શાસ્ત્રોમાં ક્યાંય કહી નથી. II ૨૪૩૮ - વિવેચન :- કોઈક શિષ્ય પોતાના પક્ષનો બચાવ કરતાં ગુરુજીને કહે છે કે મતિજ્ઞાનના ૩૩૬ ભેદોમાં બહુ-બહુવિધ-પ્રિ-અનિશ્ચિત અસંદિગ્ધ- ધ્રુવ તથા આ છ ભેદો સેતર (બીજા પ્રતિપક્ષી છ ભેદો સાથે) બાર ભેદ તેવા પ્રકારની વસ્તુને ગ્રહણ કરવામાં એટલે કે જાણવામાં – અર્થાત્ જ્ઞાન કરવામાં અહીં જૈન શાસ્ત્રોમાં જ એક વિષયમાં ઉપયોગની બહુલતા હોય છે આ પ્રમાણે શ્રુતમાં = શાસ્ત્રમાં જ કહ્યું છે તેથી હું કહું છું તેમ માનવાથી એક સમયમાં ઉપયોગ બહુલતા આવશે તો સિદ્ધસાધન જ થશે શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ જ તેની સિદ્ધિ થશે. પરંતુ કોઈ સિદ્ધાન્ત વિરુદ્ધ નહી જ થાય તો તેમાં શું દોષ છે ? આ પ્રમાણે શિષ્ય વડે કહેવાય છતે હવે ગુરુજી ઉત્તર આપે છે કે - ઉત્તર :- તે બહુ-અબહુ વિગેરે જે ભેદોનું કથન કહ્યું છે. તે વસ્તુના અનેક પર્યાયોને આશ્રયી સામાન્ય માત્ર સ્વરૂપે જાણવા પણું જ્ઞાનમાં કહ્યું છે. તેથી ઉપયોગની યોગ્યતા માત્ર રહેલી છે આમ કથન છે પરંતુ એક વસ્તુમાં ઉપયોગની બહુલતા તો ક્યાંય કહેલી નથી. અને હોય પણ નહીં. માટે ક્રમે ક્રમે જ ઉપયોગનું હોવાપણું છે. માટે તમારો આ બચાવ ઉચિત નથી. | ૨૪૩૮ || અવતરણ - તે જ્ઞાનમાં ગાથા ૨૪૩૮ના ઉત્તરાર્ધમાં તમmi n એવો જે પાઠ છે તેથી એક ઉપયોગમાં અનેકધર્મનું ગ્રહણ કહેલું જ છે આવો પાઠનું આલંબન લઈને કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે - समकमणेगग्गहणं जइ सीओसिणदुगम्मि को दोसो । केण व भणियं दोसो, उवओगदुगे वियारोऽयं ॥ २४३९ ॥ ગાથાર્થ - ઉપરોક્ત પાઠના આધારે એક સાથે અનેક ધર્મનું ગ્રહણ સાથે થાય છે આવું તમે કહો છો. તો પછી શીત અને ઉષ્ણતા એમ બે ધર્મ સાથે જણાય તેમાં ક્યાં દોષ રહ્યો ? એક ઉપયોગમાં સામાન્યપણે અનેક અર્થો જણાય એમાં દોષ છે એવું કોના વડે કહેવાયું છે ? (એમાં અનેક દોષો છે એમ અમે કહેતા નથી.) પરંતુ બે ઉપયોગ સાથે માનવામાં દોષ છે આમ અમારું કહેવું છે || ૨૪૩૯ || વિવેચન :- કોઈક શિષ્ય પૂર્વપક્ષવાદી ગુરુજીની સામે આવો પ્રશ્ન કરે છે કે તે આચાર્ય ? એકી સાથે અનેક અર્થોનું ગ્રહણ સાથે થાય છે. આવું તો તમારા વડે પણ સ્વીકારાય છે. અનુજ્ઞા કરાય છે. તો પછી એક સમયમાં એકી સાથે શીત અને ઉષ્ણ બે ધર્મનું ગ્રહણ સાથે માનવામાં શું દોષ છે ? જેથી આર્યગંગ મુનિની માન્યતાને તમે દૂષિત જ કેમ કહ્યા કરો છો ?
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy