SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પરંતુ તેનો એક રસ્તો છે કે ભગવાને કેવલજ્ઞાનથી જે કાલે જે બનવાનું જોયું છે તે વસ્તુ તેમજ બને છે. હકિકતથી તો જે વસ્તુ જે રીતે પોતાના પારિભામિક ભાવથી બનવાની છે તેને ભગવાન દેખે છે. છતાં આ વાતને ઘડીભર માની લઈએ કે ભગવાન જેવું દેખે છે તેવું થાય છે અને તેથી ભગવાનને જગતના સર્જનહાર ઉપચારે માનો તો અમને કંઈ વાંધો નથી. અમને કોઈ દોષ નથી. ફક્ત સર્જન કરવાની ઈચ્છા રૂપ મોહના પરિણામ ભગવાનમાં નથી. વસ્તુ પોતાના પારિણામિક સ્વભાવના કારણે જ બને છે અને ભગવાન તેને દેખે છે. આ જ વાત સંપૂર્ણ સત્ય છે અને સો ટચના સોના જેવી આ વાત છે. II૧૦પ અવતરણ :- “સર્યુ હશે તેમ થશે” આમ કહીને મોક્ષના ઉપાયોનો જે નિષેધ કરે છે તે તેની વિપરીત બુદ્ધિ છે. તેમ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે - તૃપ્તિ વચ્ચે જે સરજી હચે, ભોજન કરવા ઢું ધસમસે? પાપી ઉધમ આગલિ કરઈ, ધરમિ સ્યું સરક્યું ઉચ્ચરઈ II૧૦શા ગાથાર્થ :- જો સર્જાયેલું હશે તે થશે. તો તૃપ્તિ પણ સર્જાયેલી હશે તો થઈ જ જશે. ભોજન કરવા માટે શું કામ ઉદ્યમ પ્રયત્ન કરો છો ? પાપકાર્ય કરવામાં આ જીવ ઉદ્યમ પ્રથમથી જ કરે છે અને ધર્મકાર્ય કરવામાં “સર્યુ હશે” તેમ થશે. આમ મુખથી બોલે છે ? (આ માયા જ માત્ર છે) /૧૦૬ll. રબો :- નો સરવું = સ્ત્રીનરૂ, તો સરગી દુરૂ, તો તૃપ્તિ हुस्यइ, इम करीनइ भोजन करवा करवानइ स्युं धसमसइ छइ ?
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy