SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ૨૨૯ આ પ્રમાણે સિદ્ધ પરમાત્માને (૧) સર્વ શત્રુગણનો નાશ થવાથી (૨) સર્વ વ્યાધિઓ દૂર થવાથી (૩) સર્વ પ્રકારના અર્થની સિદ્ધિ થવાથી અને (૪) સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થવાથી અનિચ્છાભાવ (વૈરાગ્યભાવ વીતરાગતા) પ્રગટ થવાથી પ્રગટ થયેલું જે સુખ છે તે સુખ અમાપ, અપાર છે તથા અનંતાનંત છે. વિંશતિવિંશિકા નામના ગ્રંથમાં વીશમી વિંશિકાના ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે - (૧) સર્વ શત્રુઓનો નાશ થવાથી, (૨) સર્વ વ્યાધિઓનો ક્ષય થવાથી (૩) તથા સર્વ અર્થો સિદ્ધ થવાથી અને (૪) સર્વ ઈચ્છાઓની પૂર્ણતા થવાથી જે સુખ ઉપજે છે તેનાથી અનંતગણું સુખ સિદ્ધિ અવસ્થામાં આ જીવને હોય છે. (વિંશતિવિંશિકા ૨૦-૩) ઇત્યાદિ. Il૯૦ના અવતરણ :- ગાથા ૮૨માં કોઈએ આવો પ્રશ્ન કરેલો કે ભૂતકાળ અનંતો ગયો. તેમાં અનંતા જીવો મોક્ષે ગયા છે તો આ સંસાર ખાલી કેમ થયો નથી. આવો પ્રશ્ન ત્યાં કરેલો, તેનો ઉત્તર આ ગાથામાં ગુરુજી કહે છે ઘટઈ ન રાશિ અનંતાનંત, અક્ષતભવ નઇં સિદ્ધ અનંત। પરિમિત જીવનયÛ ભવરિક્ત થાઇં જન્મ લહઇ કઇ મુક્તિ ll૧॥ ગાથાર્થ :- સંસારમાં જીવોની રાશિ અનંતાનંત છે. તેથી ઓછી થતી નથી. ભવ(સંસાર) અક્ષત છે અને સિદ્ધભગવંતો પણ અનંત છે. જે વાદી આ સંસારમાં જીવો પરિમિત' છે આમ માને છે તેને જ ભવ(સંસાર) ખાલી થાય અથવા કોઈ કોઈ જીવો મુક્તિ પામીને પણ ફરી જન્મ (સંસાર) પ્રાપ્ત કરે. ll૯૧)
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy