________________
-
છે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી છે ગુરુજીની સ્તુતિ
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર, ધર્ય ક્ષમા ને ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર, જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખુબ બઢાવી શાસન શાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૧ ધન્ય કનોડા ધન્ય સોભાગદે ધન્ય નારાયણ ધર્મશ્રા, ધન્ય સુહગુરુ શ્રી નયવિજયજી ધન્ય ધન એ ધનજીશૂરા, ધન્ય સિંહસૂરિજી જેણે હિતશિક્ષાના દીધાં દાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૨ ભર ચોમાસે મૂશળધારે, વરસે પાણી દિવસ ને રાત, ભક્તામરની શ્રવણ પ્રતિજ્ઞા, કારણ ત્રણ ઉપવાસી માત, સાત વરસના આપે ત્યારે, સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૩ કાશીતલ વહેતી ગંગાના, કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને, રીઝવીને વરદાન વરી, ગુરુવર ચરણપસાથે સ્ટેજે, લાધ્યું આતમ અનુભવજ્ઞાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૪ સત્તર તેતાલીશ ડભોઈ તીર્થે, ચરમ ચોમાસુ આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ, પાળી યશથી અમર થયા, વહેલા વહેલા શિવપુર જાવા, કર્યું આપે શુભપ્રસ્થાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૫ પ્રભુની આણા ગૌણ બનીને, જ્ઞાનનો મારગ બિરલ બન્યો, શાસન મારું હું શાસનનો, એવો અંતરનાદ ધપ્યો, એવા ટાણે આપના ગ્રંથો, ટાળે સંઘનું તિમિર તમામ, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન. ૬