SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન ૧૨૯ मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त ।। षोडशकस्तु विकारी, न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥ સ્થિતન્મીત્ર (૨), રતમાત્ર (૨), પતનાત્ર (રૂ), તોત્ર (૪), વ્રતમાત્ર (૬), gષ a તન્માત્રાપામ્ શ્રોત્રપ્રાપ-નિહ્ન-નયન-અર્જન ધ વુર્ધ્વન્દ્રિય, (૨) વા, (૨) પતિ, (૩) પાદુ, (૪) પાયુ (૧) ૩ ૪ ૫ રેંદ્રિય અને (૨) મન ए ११ इन्द्रिय ॥५३॥ વિવેચન :- મૂળભૂત એવી પ્રકૃતિ તે વિકૃતિરૂપ નથી. કારણ કે તે મૂલભૂત પ્રકૃતિતત્ત્વ કોઈ બીજા તત્ત્વોમાંથી પ્રગટ થતું નથી કે ઉત્પન્ન થતું નથી માટે કાર્યાત્મક નથી કેવળ કારણાત્મક જ છે. (૧) મહત્ તત્ત્વ એટલે બુદ્ધિતત્ત્વ, (૨) અહંકારતત્ત્વ અને (૩ થી ૭) પાંચ તન્માત્રાઓ (શબ્દતન્માત્રા, રૂપતન્માત્રા, (ગધતન્માત્રા, રસતન્માત્રા અને સ્પર્શતક્નાત્રા) આમ આ સાત પદાર્થો પ્રકૃતિરૂપ પણ છે અને વિકૃતિરૂપ પણ છે કારણ કે પ્રકૃતિમાંથી મહતત્ત્વ અને મહત્તત્ત્વમાંથી અહંકારતત્ત્વ અને અહંકારતત્ત્વમાંથી પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. આ રીતે પૂર્વના પદાર્થના કાર્યસ્વરૂપ આ સાત તત્ત્વો છે. અને તેમાંથી ઉત્પન્ન થનારા આકાશ-વાયુ આદિ પદાર્થોના કારણરૂપ પણ આ ૭ તત્ત્વો છે. આમ કાર્યરૂપ અને કારણરૂપ ઉભયરૂપ હોવાથી પ્રકૃતિસ્વરૂ૫ અને વિકૃતિસ્વરૂપ એમ બન્ને સ્વરૂપવાળાં આ સાત તત્ત્વો કહેવાય છે. તથા પાંચ મહાભૂતો (આકાશ-વાયુ-તેજ-જલ અને પૃથ્વી), અને ૧૧ ઈન્દ્રિયો (શ્રોત્ર-સ્પર્શન-નેત્ર-જિલ્લા અને ઘાણ આ પાંચ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે માટે આ જ્ઞાનેન્દ્રિયો પાંચ, તથા સંસારનાં કામો જેનાથી થાય છે એવી કર્મેન્દ્રિયો પણ પાંચ (૧) વાણી, (૨) હાથ, (૩) પગ, (૪) ગુદા, (૫) ઉપસ્થ (સ્ત્રીચિહ્ન અને પુરુષચિહ્ન) આમ પાંચ કર્મેન્દ્રિયો
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy