SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ અને યોગશાસ્ત્રોમાં વ્યાપક થયેલો યોગ શબ્દ એ બન્નેને અર્થ અને ભાવ એક હોવા છતાં યોગ અને યોગશાસ્ત્ર એ જેટલાં સર્વપરંપરાઓને જાણતાં છે એટલે સંવર શબ્દ વૈદિક પરંપરાઓમાં જાણતો નથી. ધ્યાન અને સમાધિ એ તપની પ્રધાનતા વખતે તપનાં અંગ લેખાતાં. પછી યોગને મહિમાં વ્યાપક થતાં તે યોગનાં અંગ બન્યાં. આમ આધ્યાત્મિક સાધનાની પરંપરાઓને લગતા સાહિત્ય ઉપર નજર કરતાં એમ લાગે છે કે એ સાધનાનાં અનેક અંગો પિકી ક્યારેક કેઈએ એક અંગ ઉપર વધારે ભાર આપી અને તેને મુખ્ય અંગી લેખી બીજાં બધાને તેના અંગે તરીકે ગોઠવ્યાં, તે બીજા કેઈએ અન્ય અંગને મુખ્ય અંગી ગણું બાકીનાને અંગ તરીકે ગોઠવ્યાં. દા. ત. જેમણે તપને મુખ્ય અંગી માન્યું હતું ૧. જૈન પરંપરા આશ્નોના નિધને સંવર કહે છે: આરિતોષઃ સંવર: (તસ્વાર્થ ૯, ૧.). યોગશાસ્ત્ર (૧,૨)ચિત્તવૃત્તિઓના નિરોધને વેગ કહે છે: યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ આ રીતે સંવર અને યોગ બે પદેને મુખ્ય અર્થ નિરિધ છે, પણ એકમાં નિરધના વિશેષણ તરીકે આ સ્ત્રાવ આવે છે, જયારે બીજામાં ચિત્તવૃત્તિ. જિનપરંપરા આસ્રવ તરીકે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને ગણાવે છે, જેમાં ખરી રીતે મિથ્યાદર્શન, કષાય અને યોગ એ ત્રણ જ વસ્તુઓ મુખ્ય છે. અવિરતિ અને પ્રમાદ એ કષાયને જ વિસ્તાર માત્ર છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે જૈન સંમત આસ્ત્રોમાં જે યોગ આવે છે તે પરંપરાસંમત ચિત્તવૃત્તિઓના સ્થાનમાં છે. જૈન પરંપરામાં માનસિક, વાચિક, કાયિક વિવિધ પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. તેમાં પણ કેન્દ્રસ્થાને માનસિક પ્રવૃત્તિ છે, એટલે યોગસૂત્રમાં જે ચિત્તવૃત્તિ પદથી સૂચવાય છે તે જૈન પરંપરામાં આસવરૂપ યોગ છે. જૈન પરંપરા આસવરૂપ યોગના બે પ્રકાર દર્શાવે છે: સકષાય વેગ અને અકષાય યોગ, જ્યારે યોગશાસ્ત્ર ચિત્તવૃત્તિના કિલષ્ટ અને અકિલાણ એવા બે પ્રકાર દર્શાવે છે. પહેલામાં કષાય પદથી છે અને જેટલો અર્થ
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy