SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ યાગશતક પઢામાં પણ માત્ર શુભાશુભ સ્વપ્ર પૂરતી ચર્ચા છે, પરંતુ ખૌદ્ધસાહિત્ય સંપૂર્ણ ભાવે જોવાય તે જ આ વિશે કાંઈક વધારે કહી શકાય. જૈન પર પરામાં અષ્ટાંગનિમિત્તવિધાના વિચાર પ્રાચીન કાળથી ખેડાયેલ છે. ખાર અંગ પૈકી લુપ્ત થયેલ દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં એ વિધાનું અસ્તિત્વ ઉત્તરકાલીન ગ્રંથકાર એ નાંધેલું છે, પરંતુ ઉપલબ્ધ શ્વેતાંબર-દિગંબર સાહિત્યમાં અનેક ગ્રંથા અને પ્રકરણે! એવાં છે જેમાં ભાવિસૂચક રિષ્ટ કે અરિષ્ટોનું અનેકવિધ તેમજ વિસ્તૃત વર્ણન મળે છે. જો કે એવનિયુતિમાં લાંબું વર્ણન નથી, પણ રિજ઼સમુચ્ચયના કર્તા દુર્ગા દેવે નાંધેલ અને ઉપયાગ કરેલ ‘મરણુકડિયા’ નામના કાઈ પ્રાચીન ગ્રંથ એવા હતા જેમાં કાળજ્ઞાનનું વિવિધ અને વિસ્તૃત વર્ણન હતું. ‘સંવેગર‘ગશાલા’ અને આચાર્ય હેમચંદ્રનું ‘યેાગશાસ્ત્ર’ એ બે ગ્રંથા, તેમાંય છેલ્લે, આ વિષય ઉપર સૌથી વધારે પ્રકાશ નાખે છે. મૃત્યુસૂચક નાનાવિધ ચિહ્નોનું વર્ણન કરનાર વૈશ્વિક-અવૈદિક ગ્રંથાનું વિસ્તાર અને ખારીકાઇથી તુલનાત્મક અધ્યયન કરી ડૉ. એ. એસ. ગેાપાણીએ પેાતાના સુસંપાદિત ‘રિસમુચ્ચય’ નામના પુસ્તકમાં આ વિષયને લગતી બહુ કીમતી અને ઉપયાગી માહિતી પૂરી પાડી છે, જે આ વિષયના અભ્યાસી માટે ખાસ મહત્ત્વની છે. પરિશિષ્ટ પ આધ્યાત્મિક વિકાસક્રમની ભૂમિકાઓ અને ધ્યાનાની તુલના વૈદિક પરંપરા આ પર’પરાના બે ગ્રંથા એવા છે જેમાં વર્ણવેલી ભૂમિકાએ દ્વૈતવાદી કે અદ્વૈતવાદી એ બધાને માન્ય છે. તેમાંથી પહેલેા ગ્રંથ છે. પાત'જલ યેાગસૂત્ર અને ખીજો યોગવાસિષ્ઠ, યોગસૂત્રભાષ્યમાં ચિત્ત પાંચ પ્રકારનું વર્ણવ્યું છે: પક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy