SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૫૪-૫૮ જે દૃષ્ટિએ તે સાદું છે તે જ દૃષ્ટિએ તે સકારણ પણ છે; એટલે ક્રે, તે તે ક્ષણે અમુક નિમિત્તો મળતાં ચેતન અને કના નવા નવા સંબંધ થાય છે. આધ્યાત્મિકા માને છે કે ચેતન અને કર્મના સબંધ વ્યક્તિરૂપે સાત્તુિં તેમજ કારણજનિત હેાવાથી તેનાં વિરોધી કારણે। મળતાં તે સબધ નાશ પણ પામે છે. એનું જ ખીજું નામ મેાક્ષ છે. GK અહીં એક પ્રશ્ન વિચારવેા પ્રાપ્ત થાય છે. તે એ કે પર્યાય દૃષ્ટિએ સાદું અને સકારણુ વસ્તુના વિરોધી સામગ્રીથી નાશ સંભવે, તે પણ જે સંતતિ કે પ્રવાહ અનાદિ છે તેના અંત કેવી રીતે આવે ? એનેા અત માનવા જતાં અનાદ્ઘિના અંત મનાઈ જાય છે, જે સામાન્ય રીતે અકલ્પ્ય છે. આના જવાખ કાંઈક આ રીતે આપવામાં આવે છે. અનાદિના નાશ ન સ`ભવે એના અથ એ છે કે જે મૂળ દ્રવ્ય છે તેના નાશ થતા જ નથી. અહીં તા જીવકના સંબંધની સતતિ યા પ્રવાહની વાત છે. સંબંધ એ કોઈ મૂળ દ્રવ્ય નથી. એ તેા દ્રવ્યાની એક પ્રકારની અવસ્થા છે, જે મૂળ દ્રવ્યરૂપ ન હેાતાં નિમિત્ત પ્રમાણે બદલાયા કરે છે. તેથી અનાદ્ઘિના નાશ ન સંભવે એ સિદ્ધાંત દ્રવ્યને લાગુ પડતા હાઈ સંબંધ-સંતતિને લાગુ પાડવાના નથી; એટલે કે, જે અનાદિ છતાં દ્રવ્ય ન હોય તેના નિમિત્ત મળતાં નાશ થાય પણ ખરા. આ ષ્ટિએ આત્મા અને કર્મોના સંબંધની અનાદ્દેિ સંતતિ પ યેાગ્ય ઉપાયથી વિલય પામે છે. પણ આ એક જવાબ થયા. એના તક દૃષ્ટિએ ખીજો જવાખ એ છે કે જીવ અને કના સંબંધની સંતતિ અનાર્દિ હૈાવાથી નાશ નથી પામતી એ માની લઇએ તે પણ મેાક્ષસ્થિતિને ખાધ આવતા નથી, કારણ કે મુક્તિદશામાં જીવ અને વિજાતીય કેદ્રવ્યના સબધના પ્રતિધ નથી. જયારે કાઈ વિદેહમુકત થાય છે ત્યારે પણ જેમ જીવન્મુકતને શરીર સાથે સબંધ હૈાય છે તેમ તેને પણ કૅ દ્રવ્યા સાથે સંબધ રહેવાના.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy