SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૮ વિવેચનના પ્રાર‘ભમાં જે અભાવાત્મક અને ભાવાત્મક એવાં સામાયિક શુદ્ધિનાં બે કારણેાના નિર્દેશ કર્યાં છે તે સમજવા અસંમેાહ એવાં ત્રણ પદે છે. એ જ પદે ને તેમણે, યાગદૃષ્ટિસમુચ્ચયમાં છે તેવાં જ લઈ, ખેાધના ત્રણ પ્રકાર આધ્યાત્મિક દૃષ્ટિએ બતાવ્યા છે અને તેમણે પેાતે જ તે પદોની વ્યાખ્યા પણ કરી છે (૧૨૦, ૧૧, ૧૨૨.) એમ લાગે છે કે તેમણે એ ત્રણ પદોના અર્થ આધ્યાત્મિક દૃષ્ટિએ કર્યાં ત્યારે જ તેમને એ વસ્તુ જૈન પરપરાને અનુસરી નિરૂપવાના વિચાર પણ આવ્યા હોય. ગમે તેમ હા, પણ તેમણે જે વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ અને તત્ત્વસ'વેદન એ ત્રણ નામે અજ્ઞાન અને જ્ઞાનની કક્ષા વર્ણવી છે તે ગીતાગત બુદ્ધિ, જ્ઞાન અને અસ’મેાહ એ ત્રણ કક્ષાનુંજ બીજી પરિભાષામાં અને વધારે વિાદતાથી નિરૂપણ છે. ગીતા ઉપરની ઉપલબ્ધ બધી જ સંસ્કૃત વ્યાખ્યા અને જ્ઞાનેશ્વરી સુધ્ધાંને જોતાં એટલું' તેા સ્પષ્ટ લાગે છે કે ગીતાના વ્યાખ્યાકાર કેવલાદ્વૈતવાદી હાય, વિશિષ્ટાદ્વૈતવાદી, દ્વૈતવાદી, કે વૈતાદ્વૈતવાદી કે શુદ્દાદ્વૈતવાદી હાય, પણ તે બુદ્ધિ, જ્ઞાન અને અસ'મેાહ વચ્ચેનું આધ્યાત્મિક તારતમ્ય એક સરખી જ રીતે નિરૂપે છે. શ્રી હરિભદ્ર અને શકરાચાય બન્ને સમકાલીન છે. શ્રી હરિભદ્રે શાંકરવ્યાખ્યા જોઇ નથી અને શાંકરથી પ્રાચીન કાઇ ગીતાની વ્યાખ્યા હજી જ્ઞાત નથી; તેમ છતાં શ્રી હરિભદ્રે બુદ્ધિ, જ્ઞાન અને અસમેહ એ ત્રણ પદેશનું વિવરણ જે ચેાગદૃષ્ટિસમુચ્ચયમાં ક્યુ છે અને વિષયપ્રતિભાસ આદરૂપે જે ત્રણ જ્ઞાનની કક્ષાએ જ્ઞાનાષ્ટકમાં ચર્ચા છે તે સમગ્રનું શાંકરભાષ્ય આફ્રિ સાથે તાલન કરતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે આ બધા આચાર્યાં મુખ્યપણે આધ્યાત્મિક દૃષ્ટિએ જ જ્ઞાન-અજ્ઞાનના સ્વરૂપના વિચાર કરતા. તેથી જ તે અધા, સાંપ્રદાયિક પરિભાષા ભિન્ન હેાવા છતાં, તાપમાં મળી જાય છે. આ રીતે શ્રી હરિભદ્રે ગીતાગત જ્ઞાનવિભાગના પેાતાના ગ્ર'થામાં તે જ નામથી અને નામાન્તરથી સમન્વય કર્યાં છે, આ એક એમનાં મહુશ્રુતત્વ અને ઊંડી સૂઝના પુરાવા છે. ૩૧ પ્રસિદ્ધ અરૃકથાકાર બુધાષે વિશુદ્ધિમા (૧૪. ૪. પા. ૩૦૪)માં પ્રજ્ઞાનું સ્વરૂપ સમાવતાં કહ્યું છે કે કોઇ પણ વિષયનું પ્રાથમિક જ્ઞાન તે સ'જ્ઞા. ત્યારબાદ થનારું તે જ વિષયનું જરા ઊંડું જ્ઞાન તે વિજ્ઞાન.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy