SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ પણ પતિના ઉપર બહુ અનુરાગને લીધે કેમલ તૃણાદિકથી તેને માટે શય્યા બનાવતી એટલું જ નહિં પણ તે પોતાના સ્વામીની આજ્ઞા લઈ દિવસે પાકેલા ઇંગુદી ફલ લઈ આવતી ને તેને રાત્રીને વિષે દીવા કરતી. વલી તે પોતાના સુખને માટે બહુ લીલા વનના છાણથી આશ્રમને લીંપતી અને વારંવાર બાલતી, એ આશ્રમમાં મૃગના બચ્ચાઓને લાલન પાલન કરતા એવા તે સ્ત્રી પુરૂષ તપ કષ્ટ નહિ જાણતા છતાં બહુ સમય નિર્ગમન કર્યો. ધારિણીને તાપસી દીક્ષા દીધા પહેલાં રહેલે તેમજ સંતેષ સુખના દોહદવાળે ગર્ભ, કોઈ પ્રકારની પીડા કર્યા વિના ત્યાં અનુક્રમે વૃદ્ધિ પામે. એકદા ધારિણીએ પવિત્ર લક્ષણવાળા પુત્રને જન્મ આપે અને તેનું નામ વલ્કલચિરી પાડ્યું. ધારિણી સૂતીકાના રોગથી મૃત્યુ પામી જેથી તે બાળક દૈવગથી માતા રહિત થયે. પછી તેમચંદ્ર તાપસે નિરંતર વનની મહિષીઓનું દુધ પાઈ વૃદ્ધિ પમાડવા માટે તે પુત્ર ધાત્રીને સેંગે. ધાત્રી પણ કેટલેક કાળે દેવગથી મૃત્યુ પામી જેથી સોમચંદ્ર પોતે તે બાળકને દૂધ પાવા વિગેરેનું કામ કરવા લાગ્યો. અનુક્રમે વૃદ્ધિ પામેલે તે બાળક વલ્કલચીરિ ચાલવા શીખે, જેથી તે ન્હાના મૃગલાંઓ સાથે વનમાં કીડા કરવા લાગે વનમાંથી આણેલા પવિત્ર ધાન્યની રસોઈ કરી સેમચંદ્ર પતે તે બાળકને ભોજન કરાવતે. વનનાં બીજાં ફલ ફુલ વિગેરેથી પોષણ કરીને સોમચંદ્ર તે બાળકને પોતાના સહ તપમાં મદદગાર બનાવ્યું. પછી વૈવનાવસ્થા પામેલે અને હંમેશાં સર્વ કામ કરવામાં સમર્થ થએલે એ વલચીરિ પિતાની ભકિત કરવામાં તત્પર થયો. અંગને ચાંપવું તથા વનમાંથી ફલાદિ લાવી આપવાં ઇત્યાદિ તે સર્વ વ્રતમાં ઉત્તમ એવી પિતૃભક્તિ કરવા લાગ્યા. આ વલકલચીરી વતી જન્મથી આરંભીને બ્રહ્મચારી હતા કારણ કે સ્ત્રીરહિત વનમાં વસતા એવા તેણે સ્ત્રીનું નામ પણ જાણ્યું નહોતું. એકદા પ્રસન્નચંદ્ર રાજાએ વનમાં રહેલા પિતાના પિતાની અને ધારિણી માતાના ઉદરથી ઉત્પન્ન થએલા પોતાના બંધુ વલ્કલચીરીની વાત સાંભળી, તેથી “એ હાર બંધુ કે હશે? અને તેને મેલાપ મને શી રીતે થાય?” એમ વિચાર કરતે છતે તેને મલવા માટે અધિક ઉત્સાહ કરવા લાગ્યો. પછી તેણે ચિત્રકારેને બેલાવીને આજ્ઞા કરી કે “તમે વનમાં જઈ પિતાના ચરણકમળસહિત ત્યાં નિવાસ કરતા તથા નિરંતર પિતૃભકિતમાં પરાયણ એવા મહારા ન્હાના બંધુનું રૂપ આલેખીને ઝટ અહિં લાવ.” પછી ચિત્રકારો “અમે આપને હુકમ પ્રમાણ કરીએ છીએ.” એમ કહી સોમચંદ્ર તાપસના નિવાસથી પવિત્ર થએલા વન પ્રત્યે આવ્યા. ત્યા તેઓએ જાણે વિશ્વકર્માની બીજી મૂર્તિ હોયની? એમ દર્પણના પ્રતિ બિંબની પેઠે તેની (વલ્કલીકરની) યથાર્થ મૂર્તિ આલેખી. પછી તે ચિત્રકારોએ દ્રષ્ટિને અમૃત સમાન વકલચીરીનું રૂપ પ્રસન્નચંદ્ર રાજાને દેખાડયું. રાજા બંધુની મૂર્તિ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy