________________
પ્રત્યેકબુદ્ધ શ્રી નાતિનું ચરિત્ર
(૩૯) વિવિધ પ્રકારના મનહર ઉપચારથી રાજાને બહુ સત્કાર કર્યો. ભૂપતિ પણ આ વખતે પોતાના જન્મને સફલ માનતે છતે મનમાં વિચાર કરવા લાગ્યું. “આ ભયંકર અરણ્યમાં વિમાન સમાન આ મહેલ કયાંથી? આ રમ્ભા સમાન દિવ્ય કન્યા કયાંથી? વળી એ કન્યા અમૃત સમાન અપ્રતિમ વચનથી હારે વિષે અપૂર્વ પ્રિમ શા કારણથી ધારણ કરે છે? પ્રભાતનાં સર્વ કાર્ય કરી, ફરીથી જિનેશ્વર પ્રભુનું પૂજન કરી અને ઉત્તમ પદાર્થનું ભજન કરી છેવટ આ સર્વ વૃત્તાંત એ કન્યાને પૂછું” આ પ્રમાણે વિચાર કરીને પછી કાર્યને જાણ અને કૃતાર્થ એ તે રાજાનું નમસ્કાર સ્મરણ કરતે છતે શય્યામાંથી ઉઠી આવશ્યકાદિ દેહશુદ્ધિ કરી, પવિત્ર વસ્ત્ર પહેરી વિધિથી જિનેશ્વરનું પૂજન કરી અને તે પિતાની પ્રિયા સહિત આસન ઉપર બેસી હર્ષથી વ્યાપ્ત થયે છતે તે કન્યાને કહેવા લાગ્યો. “હે પ્રિયે! પૂર્વની પેઠે આપણે સંબંધ પૂર્વના નિમલ પુન્યથી જ થયું છે. તે કારણથી જ તને સ્પષ્ટ પૂછવામાં હારું મન બહુ લજજા પામે છે કે નિશ્ચય તું કોણ છે? હે તત્વિ હારા વચનરૂપ અમૃતનું પાન કરવાની મને તૃષ્ણ છે માટે તું પિતાનું આનંદકારી સઘલું સ્વરૂપ મને કહે.” પિતાના પતિના આવા આદેશથી અત્યંત હર્ષ પામેલી તે કન્યા જાણે સાક્ષાત્ સરસ્વતી પોતેજ હેયની? એમ અમૃતને પણ મિખ્યા કરી દેનાર વાણના વિલાસથી પોતાનું સઘળું સ્વરૂપ કહેવા લાગી.
હે રાજન છે જેવી રીતે અલકા નગરીમાં કુબેર, સ્વર્ગમાં ઈદ્ર અને આકાશમાં ચંદ્ર રાજ્ય કરે છે તેવીજ રીતે પૃથ્વી ઉપર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મહા પ્રતાપ્રવાલે જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. એકદા તે ભૂપતિ, પૃથ્વીના સર્વ ભૂપાલેથી પિતાના વૈભવને અધિક માનતે છતે પિતાના ચરપુરૂષને કહેવા લાગ્યું કે “ હે પુરૂષે ! બીજાઓના રાજ્યથી મારા રાજ્યમાં શું ન્યૂન? ” સર્વે ચરપુરૂષએ વિનંતિ પૂર્વક કહ્યું કે “હે રાજેદ્ર! આપની સભામાં ચિત્રકારોનાં બનાવેલાં ચિત્રો નથી એજ એક ન્યૂન દેખાય છે. ચરપુરૂષનાં આવાં વચન સાંભલી મહા લક્ષમીવંત એવા તે રાજાએ મહા વિચક્ષણ એવા ચિત્રકારોને બોલાવીને તેઓને સમાન ભાગે પિતાની ચિત્રશાલા ચિતરવા માટે સોંપી. તે ચિત્રકામાં મનેહિર ચિત્રને બતાવનાર અને અતિવૃદ્ધ એ કઈ એક ચિત્રાંગદ નામને ચિતાર પિતાને સેપેલા ભીંતના ભાગ ઉપર શીધ્ર વિચિત્ર પ્રકારના ચિત્ર ચિતરત હતો. સહાય રહિત એવા તે ચિતારાની અતિઉત્તમ રૂપાલી કનકમંજરી નોમની પુત્રી હમેશાં ભક્તિપૂર્વક પિતાના ઘરેથી તેને ભાત આપવા આવતી હતી.
એકદા ઉત્તમ વનાવસ્થાવાલી અને ચતુર કન્યાઓમાં શ્રેષ્ટ એવી તે કન્યા પિતાના પિતાને માટે ઘેરથી ભાત લઈ જેટલામાં રાજમાર્ગ પ્રત્યે આવી તેટલામાં તેણીએ મનુષ્યથી ભરપૂર એવા રાજમાર્ગમાં પોતાની મરજીથી અશ્વને ખેલાવતા અને રાજ્યસંપત્તિથી યુક્ત એવા કેઈ એક જતા એવા ઘેડેસ્વારને દીઠે, ભયથી