SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૪) શ્રીષમંડલ વૃતિ ઉત્તર દેવતાઓએ મોટા મહોત્સવપૂર્વક નૃત્ય કરવા માંડયું. પછી વિમાનને વિષે કમલના નીચેના ભાગમાં શ્રી વજસૂરિએ બેસીને આકાશમાં તે વિમાનને ચલાવ્યું. વિમાન આકાશ માર્ગે ચાલવા લાગ્યું એટલે તેની સાથે વિમાનમાં બેઠેલા દેવતાઓ પણ ગાયન કરતા અને વાછત્ર વડાગતા છતાં ચાલવા લાગ્યા. દેવતાઓથી વિટલાયેલા અને વિમાનમાં બેઠેલા શ્રી વજાસ્વામી, બોદ્ધોથી દૂષિત એવી પુરિકા નામની નગરી પ્રત્યે આવી પહોંચ્યા. આકાશમાં વિમાનને જોઈ નગરીનિવાસી લેકે ઉંચું જોઈ હર્ષ પામતા છતા પરસ્પર કહેવા લાગ્યા. અહો ! શ્રાદ્ધમતના મ્હોટા પ્રભાવને જોઈ દેવતાઓ બુદ્ધપ્રતિમાનું પૂજન કરવા માટે આવે છે, માટે બુદ્ધ પ્રભુને નમસ્કાર થાઓ.” આવી રીતે બદ્ધ લેકે કહેતા હતા એવામાં શ્રી વાસ્વામી વિમાને વડે આકાશમાં ગાંધર્વ નગરની શોભાને દેખાડતા છતા અરિહંત મંદીરમાં ગયા. ત્યારે તે ગ્લાનિ પામેલા મુખવાળા બદ્ધ લોકો ફરી કહેવા લાગ્યા કે “અહા! જિનમતની આ મહેટી પ્રભાવના થઈ. અમોએ ચિંતવ્યું હતું કાંઈ બીજું અને થયું પણ કાંઈ બીજુ. આજેજ આ બ્રાદ્ધશાસનના પહેલા જ થએલા લાઘવપણાને ધિક્કાર થાઓ! ધિક્કાર થાઓ ! ! પછી પર્યાવણ પર્વને દિવસે દેવતાઓએ અરિહંત પ્રભુના મંદીરમાં માણસોને અગોચર એવું મહેસું સમવસરણ રચ્યું. જાંભક દેવતાઓના સમૂહે કરેલી અરિહંતશાસનની પ્રભાવનાને જોઈ રાજાએ બિદ્ધધર્મને ત્યજી દઈ શ્રી અરિહંતના ધર્મને પિતે સ્વીકાર્યો. પછી મમતારહિત એવા શ્રીવજગુરૂ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા સૂર્યની પેઠે લેકને પ્રતિબંધ કરવા માટે દક્ષિણ દિશામાં ગયા. ત્યાં એક દિવસ તેમને મલેષ્મ (સલેખમ ) ને વ્યાધિ થયે. પછી પિતાના સાધુઓએ ઉપચાર માટે આણેલા સુંઠના ગાંગડાને હાથમાં લઈ “હું તેને ભજન કરી રહ્યા પછી ભક્ષણ કરીશ.” એમ ધારી પાંચ આચારના નિધિ રૂપ શ્રીવાસ્વામીએ તે સુંઠના ગાંગડાને પિતાના કાન ઉપર મૂક્યો. સ્વાધ્યાયના ધ્યાનમાં લીન આત્માવાલા તે પૂજ્ય મહાત્મા શ્રીવાસ્વામી ભજનને અંતે પણ કાન ઉપર રહેલી સુંઠને ભક્ષણ કરવી ભૂલી ગયા. પછી સંધ્યા સમયે પ્રતિકમણ અવસરે મુહપત્તિથી દેહનું પડિલેહણ કરતાં તે સુંઠને ગાંગડો પૃથ્વી ઉપર પડયે. ખટ શબ્દ કરીને પડેલી સુંઠને જોઈ શ્રીવાસ્વામીને મૃતિ આવી. તેથી તે પિતાની નિંદા કરવા લાગ્યા કે મને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! ! જે મને આ માટે પ્રમાદ થયો. પ્રમાદથી નિર્દોષ એવો સંયમ ક્યારે પણ પાળી શકાતું નથી, અને સંયમ વિના જીવવું એ પણ નિરર્થક છે. માટે હવે હું મારા દેહને ત્યાગ કરીશ.” આવી રીતે શ્રી વજીસ્વામી વિચાર કરતા હતા. એવામાં સામટે બાર વર્ષને દુકાળ પડ. પછી શ્રીવજ સ્વામીએ શાસ્ત્રના સમુદ્ર રૂપ પિતાના વજન નામના શિષ્યને “ તું
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy