SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શય્ય‘ભ્રવસૂરિ' નામના શ્રુતકેવલીની કથા ( 332 ) પુત્ર છે? તે તુ કહે ?” તે મનક ખાળકે કહ્યું. “હું રાજગૃહ નગરથી અહી આન્યા છું. વત્સ ગોત્રમાં ઉત્પન્ન થએલા શય્યંભવના પુત્ર છું. હું ગર્ભમાં હતા; તે વખતે મ્હારા પિતાએ હષથી દીક્ષા લીધી છે, માટે હું તેમને લેવા માટે આન્યા છું. જો આપ મ્હારા પિતા શય્યભવને ઓળખતા હો તે હૈ પૂજ્યા ! મને પ્રસન્ન થઈને કહા કે તે ક્યાં છે? હું પણ મ્હારા પિતાને જોઇ તેમની પાસે દીક્ષા લઇશ. કારણ પિતાએ જે આચર્યું હોય તે સુપુત્ર પણ કરે છે.” શય્યંભવ આચાયે કહ્યું. “હું ત્હારા પિતાને એળખું છું. તે મ્હારા મિત્ર છે. હું અને તે ફક્ત દેહથીજ ભિન્ન છીએ, બાકી અમારા જીવ તા એકજ છે. માટે તુ ત્હારા પિતાના સરખા મને જાણુ. તેમની પાસે અથવા તેા મ્હારી પાસે તુ સંયમ ગ્રહણ કર. ક્યારે પણ ધર્મકાર્ય માં વિલંબ કરવા નહિ” કુમારે તે વાત અંગીકાર કરી એટલે શય્યંભવે તેને તુરત દીક્ષા આપી. ખરૂં છે કે મહાત્માઓનું તેજ હિતકારી કન્ય છે. શ્રી શય્યંભવ ગુરૂએ શ્રુત ઉપયાગથી તે બાળકનું છ માસનું આયુષ્ય બાકી જાણી તેને અભ્યાસ કરાવવા માટે શાસ્ત્રસમૂહથી દશવૈકાલિક સૂત્ર ઉદ્ધર્યું. આચાર્ય ઉત્તમ એવા દશ અધ્યયનથી યુક્ત એવા એ સૂત્રને અકાલે રચ્યું તે ઉપરથી અજ્ઞાન રૂપ અંધકારને નાશ કરનારા તે સૂત્રનું “ દશવૈકાલિક ” એવું નામ પડયું. સૂરિએ મનકને તે સૂત્ર આન ંદથી ભણાવ્યું. હ્યું છે કે મ્હોટા મહાત્માઓને ખીજાએ ઉપર પણુ એજ હિત કર્ત્તવ્ય છે. મનકને આરાધનાદિ સર્વ કૃત્ય સુરિએ પેાતે કરાવ્યું. છ માસને અંતે મનક કાલ કરી દેવલેાક પ્રત્યે ગયા. મનક મૃત્યુ પામ્યા એટલે શસ્ત્રભવ મુનીશ્વરના નેત્રથી શરઋતુના મેત્રની પેઠે આંસુની ધારા થવા લાગી. તુરત દુઃખથી વિસ્મય પામેલા યશાભદ્રાદિ શિષ્યાએ તેમને વિન ંતિ કરી કે “ હે પ્રભુ!! આમ દીલગીર થવાનું શું કારણ છે ?” પછી શય્ય ંભવ સૂરિએ તે પાતાના શિષ્યાને મનકનું ચિરત્ર તથા તેની સાથે થતા એવા પાતાના પિતા પુત્રને સંબંધ કહી સંભળાવ્યેા અને કહ્યુ કે “ ખાલ છતાં પણ અમાલની પેઠે એ મનકે થેાડા કાળમાં નિર્મલ ચારિત્ર પાળી સમાધિવડે કાલ કર્યા છે એથી ઉત્પન્ન થએલા ટુ વડે મને અશ્રુપાત થયા છે. બીજું સઘળું ત્યજી દેવું સહેલું છે, પણ પુત્રને સ્નેહ દુહ્યંજ છે.” પછી યશેાભદ્રાદિ શિષ્યાએ હાથ જોડી તેમને કહ્યું. “ હું આય! આપે તેની સાથેના પુત્ર સંબંધ અમને પ્રથમ કેમ ન કહ્યો ?” સૂરિએ કહ્યું. “ જો મેં તમને “આ મ્હારા પુત્ર છે” એમ જણાવ્યુ` હાત તા તેનું પરલેાક સંબંધી કાર્ય નાશ પામત. કારણ મુનીશ્વર તેની પાસે પેાતાની વૈયાવચ્ચ ન કરાવત પણ ઉલટા તેઓ માલ શિષ્યની વૈયાવચ્ચ કરવા લાગત. તે પછી તેની નિર્જરા કયાંથી થાત ? માટેજ “ આ મ્હારા પુત્ર છે.” એમ તમને પ્રગટ ન કહ્યું. હું મુનીશ્વશ ! ખાલ છતાં પણ તેણે સારી રીતે આરાધના કરી છે. મેં મનક માટે બીજાં શાસ્ત્રોથી ઉદ્ધૃરી દશવૈકાલિક નામના ગ્રંથ રચ્યા છે. તેને હમણાં તે તે સ્થાનકે ફ્રી મૂકીને
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy