SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જબસ્વામી' નામના ચમકેલીની કથા. (૩૫) એટલે પ્રસન્ન થએલા જિનદાસ શ્રેષ્ઠીએ પિતાના બંધુની પેઠે તે દંભી શ્રાવકને પ્રીતિથી સ્નાન કરાવ્યું. પછી વિવિધ પ્રકારના વાદથી મનહર એવા ભેજનથી સંતેષ પમાડી પાન સોપારી આપ્યાં. પછી પુણ્યાત્મા જિનદાસ તે દુરાત્મા કપટી શ્રાવકની સાથે ધર્મ કથા કરવા લાગ્યું. તે વખતે જિનદાસને સબંધી કઈ પુરૂષ ત્યાં આવી તેને કહેવા લાગ્યો. “હે બંધ ! કાલે મહારે ત્યાં શુભ અવસર હોવાથી આપ પધારજો. ત્યાં આપને દિવસ અને રાત્રી રહેવાનું છે. કારણ આપ કલ્યાણ કરવામાં કુશલ છે તેથી આપના વિના શ્રેય કેમ થાય ?જિનદાસે તે પિતાના માણસને હા કહીને રજા આપ્યા પછી સરલ મનવાળા તેણે પેલા કપટ શ્રાવકને કહ્યું કે “હે ઉતમ બુદ્ધિવંત ! હારે તે હારા સ્વજનને ઘેર નિચે જવું પડશે, તેથી હું જાઉં ત્યારે તમારે પોતાના ઘરની પેઠે આ હારા ઘરનું રક્ષણ કરવું ” કપટ શ્રાવકે હસતાં હસતાં તે વાત કબુલ કરી એટલે જિનદાસ તેના ઉપર વિશ્વાસ રાખી પિતાના સંબંધીને ત્યાં ગયો. હવે તે દિવસની રાત્રીએ કૌમુદી પર્વતને ઉત્સવ હોવાથી સર્વે નગરવાસી જને તે ઉત્સવમાં વ્યગ્ર બની ગયા હતા. કપટ શ્રાવકને તે અવસર મળ્યે તેથી તે હર્ષથી બાલ અશ્વને લઈ ચાલતો થયે. ધિક્કાર છે, ધિક્કાર છે આવા વિશ્વાસઘાતી માણસને. તે અશ્વ પણ અરિહંત પ્રભુના મંદિરને ત્રણ પ્રદક્ષિણા કરીને પટ શ્રાવકે બહુ નિવાર્યા છતા પણ તલાવે ગયે. બીજે ક્યાંઈ ગયો નહીં. તલાવથી પાછા ફર્યો ત્યારે પણ જિનમંદિરને ફરી પ્રદક્ષિણા કરી જિનદાસના ઘરે આવ્યા પણ બીજે કઈ સ્થાનકે ગયા નહીં. દુષ્ટ વેરીઓના સચિવે તે અશ્વને લઈ જવા બહુ પ્રયાસ કર્યો પણ તે તેમ કરવા સમર્થ થયે નહીં એટલામાં સવાર થઈ. સૂર્યને ઉદય થયું એટલે પેલો દુષ્ટ બુદ્ધિવાળો કપટ શ્રાવક નાસી ગયે. આ વખતે જિનદાસ પણ પિતાના ઘર પ્રત્યે આવ્યો. જિનદાસે રસ્તે આવતા લોકોના મુખથી સાંભળ્યું કે “આજે તમારા અશ્વને કૈમુરી ઉત્સવની આખી રાત્રી ફેરવ્યું છે. ” જિનદાસ “ આ શું ” એમ વિસ્મય પામતે છતે ઘરે આવ્યો તે તેણે થાકી ગએલા, દુબલા થએલા અને પરસેવાથી ભિંજાઈ ગએલા તે અશ્વને દીઠે. “ખરેખર પુણ્યના ભેગથી આ અશ્વ રહ્યો. અહો ! તેણે મને ધર્મને બહાને છેતર્યો છે. ” આમ વિચાર કરતે એવો તે શ્રેષ્ઠી એકી વખતે ઉત્પન્ન થએલા હર્ષ અને શેકથી તુરત તે અશ્વને ભેટી પડશે. જિનદાસ તે દિવસથી અશ્વનું વધારે રક્ષણ કરવા લાગ્યું. કારણ કે તે અશ્વ અવળે માર્ગે ગયે નહિ, તેથી તેને વધારે પ્રિય થયો. (જંબૂકુમાર નભ:સેનાને કહે છે કે, હે પ્રિયે ! તે અશ્વની પેઠે મને પણ કોઈ અવળે માર્ગે લઈ જવા સમર્થ નથી, તેમ હું પણ પરલેકને વિષે સુખકારી એવા તે માર્ગને ત્યજી દઈશ નહીં.”
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy