SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ બીજબસ્વામી નામના ચાર ડેવલીની કથા. થઈ છું. મહારા કાકાની માતા તેજ હોવાથી હારી પિતામહી (દાદી) પણ કહેવાય. હારા ભાઈની સ્ત્રી થવાથી હારી જાઈ પણ થઈ. શક્યતા પુત્રની સ્ત્રી હોવાથી તે હારી વધુ (પુત્રની સ્ત્રી) પણ છે. મહારા પતિની માતા હોવાથી તે વિશે હારી સાસુ થઈ અને મહારા પતિની બીજી સ્ત્રી થવાથી હારી શોકય પણ કહેવાય.” કરદત્તા સાધ્વીએ આ પ્રમાણે કહીને કુબેરદત્તને પિતાની મુદ્રિકા આપી. કુબેરદત્ત પણ મુદ્રિકાને જોઈ થએલા પરસ્પર સર્વ સંબંધના ખરાબ પરિણામને જા. પછી તે જ વખતે વૈરાગ્ય પામેલા કુબેરદસે દીક્ષા લીધી. તપ કરી અને મૃત્યુ પામી તે કુબેરદત્ત દેવકને વિષે હોટ દેવતા થયે. કુબેરદત્તાએ તેજ વખતથી શ્રાવકધર્મ આદર્યો. નિર્મલ મનવાળી સાધ્વી કુબેરદત્તા પણ પિતાની ગુ. રૂણ પાસે ગઈ. જંબૂકુમાર પ્રભાવને કહે છે કે, જે પ્રાણીઓ આવી રીતે કર્મથી બંધાય છે તે જ જડબુદ્ધિવાળાઓ છીપમાં રૂપાની ભ્રાંતિની પેઠે બીજાઓને બંધું માને છે. જે પિતે બંધુ સહિત છે અને બીજાઓને બંધુના સંબંધથી છોડાવે છે તેજ ક્ષમાશમણ (સાધુ) બંધુ છે. બીજા બંધુઓ તે નિચે નહિ સમાન છે. પ્રભવે કહ્યું. “હે કુમાર! દુર્ગતિમાં પડતા પિતાના પૂર્વજોને રક્ષણ કરવા માટે તું પુત્રને ઉત્પન્ન કર. કારણ સંતાન રહિત માણસના પૂર્વજો નિશ્ચ નરકે જાય છે. તું સંતાનરહિત હોવાથી પૂર્વજોના બાણથી મુક્ત થઈશ નહિ.” ખૂકુમારે કહ્યું. “હે પ્રભવ ! પુત્ર પિતાને તારનારા છે, એમ જે કહેવું તે મેહને લીધે જ છે. અહીં મહેશ્વરદત્ત સાર્થવાહનું દ્રષ્ટાંત છે તે તું સાંભળ:- . પૂર્વે તામલિસી નગરીમાં મહેશ્વરદત્ત નામને લોકપ્રસિદ્ધ અને ધનવંત સાથે પતિ રહેતું હતું. જેમાં સમુદ્ર, જલથી તૃપ્તિ ન પામે તેમ બહુ ધન છતાં પણ સંતેષરહિત એવો સમુદ્ર નામને પ્રસિદ્ધ પુરૂષ તે માહેશ્વરદત્તને પિતા હતે. માણસની નિતિને જાણનારી અને બહુલક્ષણવાળી છતાં માયાના નિવાસસ્થાન રૂ૫ તેમજ અતિ તૃષ્ણાવાળી બહુલા નામે તેને માતા હતી. દ્રવ્યસમૂહને એકઠું કરવાના વ્યસનવાળો તે મહેશ્વરદત્તને પિતા સમુદ્ર, મૃત્યુ પામીને તેજ નગરમાં પિતાના કર્મથી પાડાપે ઉત્પન્ન થયો હતે. પિતાના પતિના મરણથી ઉત્પન્ન થએલા અતિ આર્તધ્યાનના સંકટવાળી તેની માતા બહલા પણ મૃત્યુ પામીને તેજ નગરમાં કૂતરી ઉત્પન્ન થઈ હતી. હવે મહેશ્વરદત્તની ગાંગિલા નામની સ્ત્રી, શંકરની પ્રિયા પાર્વતીની પેઠે અતિ સૌભાગ્યવંત હતી. સાસુ અને સસરા વિનાના ઘરમાં એકલી રહેતી તે ગાંગિલા, અરણ્યમાં હરિણીની પેઠે સ્વછંદચારિણી (મરજી પ્રમાણે ચાલનારી) થઈ, તેથી તે દુ પતિની દષ્ટિને છેતરી બીજા પુરૂષની સાથે ક્રીડા કરવા લાગી. કારણ આ લેકમાં વેચ્છાચારિણી સ્ત્રીઓને સતીપણું ક્યાંથી હોય?
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy