SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જખસ્વામી' નામના ચમકેવલીની કથા (૨૯૭) * મથુરા નામની મહા નગરીમાં રૂપ સંપત્તિથી વિશ્વને ક્ષેાભ કરનારી કુબેરસેના નામે ગણિકા રહેતી હતી. તે પહેલાજ ગર્લે બહુ દુઃખ પામવા લાગી તેથી તેની માતા તેને વૈદ્ય પાસે લઈ ગઈ. કારણ કે રાગ થાય ત્યારે માણસને વૈદ્યજ શરણુ છે. વઘે નાડી વિગેરે જોઈ તેને રંગરહિત જાણી અને પછી કહ્યું કે “ એને કાઈ રોગ નથી, પણ તેના કલેશનું કારણ એ છે કે તેના ઉદરને વિષે અતિ દુહુ એવા એ ગભ ઉત્પન્ન થયા છે તેથી તેને આ દુ:ખ થાય છે. આ દુ:ખ તને પ્રસવ થતાં સુધી રહેશે. પછી માતાએ કુબેરસેનાને કહ્યું: “હે વત્સ ! હું ત્હારા ગર્ભ પડાવી નાખું; કારણ પ્રાણના નાશ કરનારા ગર્ભને રક્ષણ કરવાથી આપણને શું લાભ ? કુબેરસેનાએ કહ્યુ. “ મ્હારો ગર્ભ સુખે રહા, હું કલેશને સહન કરીશ. એકજ વખતે ઘણા બચ્ચાને જન્મ આપનારી ભૂંડણી પણ જીવે છે.” પછી બહુ દુ:ખને સહન કરી તે કુબેરસેના ણિકાએ ઉત્તમ સમયે એક પુત્રી અને એક પુત્ર એમ જોડલાને જન્મ આપ્યા. માતાએ પુત્રીને કહ્યુ. “ હે વત્સે ! આ બન્ને ખાળકે ત્હારા શત્રુરૂપ છે કારણ કે તેમણે ગર્ભમાં રહ્યા છતાં તને મૃત્યુના મુખ સુધી પહાંચાડી છે. આ બન્ને બાળકો હારા નથૈાત્રનને હરઝુ કરનારા છે. અને યાત્રન એ વેશ્યાઓની આજીવિકા છે, માટે તું હારા ચૈાવનનું રક્ષણુ કર, તેમજ હે પુત્રી ! ઉદરથી ઉત્પન્ન થએલા બાલકને મત્રની પેઠે ત્યજી દે. તું યાવનાવસ્થાના માહ ત્યજી આ ખાલકા ઉપર મેાહ ન કર. આ આપણા કુલાચાર છે. ” કુબેરદત્તાએ કહ્યું. “હું માતા જો કે તું કહે છે તે ઠીક છે તે પણ દશ દિવસ સુધી ધીરજ રાખ. હું તેટલા દિવસ સુધી આ મ્હારા પોતાના બાલકાનું પાષણ કરીશ ” માતાએ તેમ કરવાની તેને આજ્ઞા આપી તેથી ખાલકનું ઇષ્ટ કરનારી તે કુબેરદત્તા વેશ્યા નિરંતર ધવાવવા વિગેરેથી તે અન્ને માલકાનું પાષણ કરવા લાગી. આ પ્રમાણે ઉત્સવથી નિર'તર ખાલકાને પાલતી એવી તે વેશ્યાના દશ દિવસ સુખેથી નિકલી ગયા. પછી તે ચતુર ગુણીકાએ કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામની એ મુદ્રિકાએ કરાવીને તે બન્ને ખાલકાના એક એક આંગળીને વિષે પહેરાવી. ત્યાર પછી તેણીએ એક ઉત્તમ લાકડાની પેટી કરાવીને તેમાં બહુ રત્ના ભરી અને માલકાને મૂકયાં. છેવટ તે પેટીને પોતે યમુના નદીના પ્રવાહમાં તણાતી મૂકી જેથી તે જાણે હુંસડી ડાયની ? એમ સુખે તરતી ચાલી પછી ખાલકાના વિયેાગથી ઉત્પન્ન થએલા ઘાઢ શાથી અહુ પીડા પામતી તે વેશ્યા પાતાના ઘર પ્રત્યે આવી. ,, હવે પેટી સવાર થતા શાયપુર નગરના દ્વાર પાસે આવી પહેાંચી ત્યાં તેને કાઇ શ્રેષ્ઠીપુત્રાએ દીઠી જેથી તેઓએ લઇ લીી. અન્ને જણાએ પેટીને ઉઘાડતાં તેમાં રહેલા પુત્ર પુત્રી રૂપ ખાલકને જોયાં, તેથી એકે પુત્રને અને એકે પુત્રીને એમ એક એક લઈ લીધાં. શ્રેણીપુત્રાએ માલકની આંગલીમાં રહેલી મુદ્રિકા ોધ તેમનાં કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામ જાણ્યાં. 4
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy