SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ બીજબૂસ્વામી નામના ચરમ કેવલાની કથા (૨૮૫) પિતાનું વમી કાઢેલું હું પોતે ભક્ષણ કરીશ. પિતાનું ઉચ્છિષ્ટ ભજન કરવામાં લાજ શી ? બ્રાહ્મણીએ કહ્યું. “હે પુત્ર! તું પોતે વમેલું અને નિંદા કરવા યોગ્ય ભક્ષણ કરવા તૈયાર થાય છે, પણ તે નિંદ્ય કાર્યથી તું સર્વ લેકમાં નિંદા કરવા ગ્ય થઈશ.” ભવદેવ મુનિ પણ બ્રાહ્મણ પુત્રનું વચન સાંભળી તેને કહેવા લાગ્યા. “હે બટુક ! તું વમન કરેલાને ભક્ષણ કરીશ તે નિચે કુતરાથી પણ હીન કહેવાઈશ.” નાગિલાએ મુનિને કહ્યું. “જો આપ તે બ્રાહ્મણપુત્રને એમ કહો છો અને જાણે છે તો પછી તમે પોતે મને વમી દઈને (ત્યજી દઈને) ફરી ભેગવવાની કેમ ઈચ્છા કરો છો ?” આ મહારો દેહ વિષ્ટા, મૂત્ર, માંસ, ચરબી અને હાડકાથી ભરેલો હોવાને લીધે અપવિત્ર વસ્તુના સ્થાનરૂપ છે તેથી તે વમન કરેલા પદાર્થથી પણ વધારે નિંદા કરવા યોગ્ય છે તે તેની ઈચ્છા કરતાં તમે કેમ લાજ નથી પામતા ? તમે પર્વત ઉપર બળતા અગ્નિને જોવા જાઓ છો પણ પોતાના પગ નીચે થતા ભડકાને જેતા નથી. જે બીજાને શીખામણ આપવા તૈયાર થાઓ છે પણ પિતાના આત્માને શિક્ષણ કરતા નથી. જેઓ બીજાને પૂર્ણ રીતે શિક્ષણ કરે છે તેઓની પુરૂષની ગણના શી? કારણ તેજ માણસને પુરૂષની ગણત્રીમાં ગણી શકાય કે જે પિતાના આત્માને શિક્ષણ કરવા સમર્થ છે” પછી ભવદેવે કહ્યું “હે શુભે! તે બહુ સારું કર્યું જે આવી શિખામણ દઈ. જાતિઅંધની પેઠે અવળે માર્ગે જતા એવા મને સારા માર્ગે દેર્યો. હવે હું આજેજ મહારા બંધુઓને મળી તુરત હર્ષથી ગુરૂ પાસે જઈ પિતાના કરેલા દુષ્કત્યની આલોચના લઈ ઉગ્ર તપ આચરીશ.” નાગિલાએ કહ્યું. “તમારે સ્વજનોને મળવાને શી જરૂર છે? હમણાંજ તમે પિતાના સ્વાર્થને મેળવવા તત્પર થાઓ. તમારાં સ્વજને તમને ગુરૂના દર્શન કરવામાં મૂર્તિમંત વિઘ રૂપ થઈ પડશે. પછી ભવદેવે ઉત્તમ પ્રકારે જિનપ્રતિબિંબને વંદના કરી ગુરૂની પાસે જઈ આલેચના લીધી. અતિચારરહિત શુદ્ધ ચારિત્રને પાળતે એ તે ભવદેવ મૃત્યુ પામી સેધર્મ દેવલોકમાં ઈંદ્રને સામાનક દેવતા થયે. હવે ભવદત્ત મહામુનિને જીવ કે જે સિંધર્મ દેવલોકમાં દેવતા થયા હતા તે સ્વર્ગથી ચવીને વિશ્વમાં ઉત્તમ એવા મહાવિદેહક્ષેત્રની પુષ્કલાવતી વિજયની કુંડરીકિણી નગરીના વદત્ત ચક્રવતિની યશોધરા સ્ત્રીના ઉદરને વિષે અવતર્યો. જેમ તળાવને વિષે રાજહંસ ઉતરે તેમ યશોધરાના ઉદરને વિષે ભવદત્તને જીવ અવતરે છતે તેને સમુદ્રમાં સ્નાન કરવાને ડોહોલ ઉત્પન્ન થયા. વજદર ચક્રવર્તિએ સમુદ્ર સમાન સીતા નામની મહા નદીમાં પોતાની પ્રિયાને બહુ વાર કીડા કરાવી તેણીને ડોહોલો પૂર્ણ કર્યો. પછી પૂર્ણ થએલા ડહોલાવાળી અને મનસ્વિની એવી તે યશોધરા પટ્ટરાણીએ દિવસે દિવસે પિતાના લાવણ્યને અધિક ખિલાવ્યું. જેમ,
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy