SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) શ્રીમડિલ વૃત્તિ ઉત્તરાદ્ધ તેમજ કારણ છતાં પણ ક્રોધ કરનારા સંખ્યાબંધ છે. પરંતુ કારણ છતાં જે કોઈ નથી કરતા એવા તે પાંચ છ હાય છે. પછી ધન્યકુમારને મારી નાખવાને વિચાર કરતા એવા તેના ભાઈઓના વિચારને તેમની સ્ત્રીઓએ જાણ્યું તેથી તે સ્ત્રીઓએ પોતાના ગુણવંત, ખારા અને ભવ્ય એવા દિયર ધન્યકુમારને વિનંતિ કરીને તે સર્વ વાત તેને જાહેર કરો. પછી પુત્રની પેઠે વિનયથી નમ્ર એવા ધન્યકુમારે પિતાના મહેટા ભાઈઓની સ્ત્રીઓની આગળ મધુર વાણીથી કહ્યું કે “મેં એમને જરાપણુ અપરાધ કર્યો નથી છતાં તેઓ હારા ઉપર શા માટે ક્રોધ કરે છે? સ્ત્રીઓએ કહ્યું. “હે દિયર! ખલ પુરૂષે એવાજ હોય છે.” પછી ધન્યકુમાર વિચાર કરવા લાગ્યા કે “મહારે અહીંયાં રહેવું એગ્ય નથી. કારણ કે મોટા પુરૂષે કઈને કયારે પણ પીડા કરતા નથી.” આ પ્રમાણે વિચાર કરી ઉત્સાહવંત એ ધન્યકુમાર એકલો નિકળી ગામ, નગર, ખાણ વિગેરેથી વ્યાપ્ત એવી ભૂમિ ઉપર ભમવા લાગ્યા. એકદા ખેતરમાં રહેલા કેઈ કણબીએ મને હર આકારવાળા ધન્યકુમારને જોડી હર્ષથી તેને ભેજનનું આમંત્રણ કર્યું. ધન્યકુમાર કણબીના આગ્રહથી જેટલામાં ત્યાં બેઠે તેટલામાં કણબીની સ્ત્રી ભાથું લઈ ત્યાં આવી કણબીએ પોતાની સ્ત્રીને “આ પરાણાને ભેજન કરાવ્ય.” એમ કહી હળ ચલાવવા માંડયું. પછી જેટલામાં સ્ત્રીએ ધન્યકુમારના પાત્રમાં ખીર પીરસી તેટલામાં તે કણબીના હળની સીરા ભૂમિમાં દટાઈ રહેલા કળશના કંઠને વિષે લાગી. કણબીએ તુરત ના મહેરોથી ભરેલા ડાને બહાર કાઢી ધન્યકુમારને અર્પણ કરી અને કહ્યું કે “તમાસ પુણ્યથી નિક બેલે આ નિધિ તમે પોતે જ ” ધન્યપુરમાં શિરોમણિ એવા ધન્યકુમારે આગ્રહ કરી તેને તે દ્રવ્યકળશ પાછો આપ્યો અને પોતે ત્યાંથી ચાલતે થયે. અનુક્રમે તે રાજગૃહ નગરે પહેંચ્યો અને ત્યાં ઉદ્યાનમાં રહ્યો. ઉત્તમ બુદ્ધિવાળ માળીએ શ્રેષ્ઠ આકૃતિવાળા ધન્યકુમારને જોઇ તેને પોતાને ઘરે તેડી ગયે ત્યાં તેણે તેની બહુ ભક્તિ કરી. હવે એમ બન્યું કે જેણીના વંશના સઘળા માણસે મરી ગયા છે એવી તેમને જ નિર્ધનપણાને લીધે વિભાવરહિત થએલી કેઈ ધન્યા નામની ગોવાલણ થી તે નગરથી નિકળીને શાલિગામને વિષે રહેતી હતી. તે સ્ત્રી ત્યાં પોતાના સંગમ નામના બાળક સહિત નિવાસ કરતી હતી. કહ્યું છે કે જીવિતના સરખા બાળકને દુઃખમાં પણ ત્યજી દેવું બહુ મુશ્કેલ છે. સંગમ ત્યાં આજીવિકા નિમિત્તે વાછરડાં ચાર હતું. કારણ એ આજીવિકા નિધન માણસેના પુત્રને સુખે સાધી શકાય તેમ છે. એકદા તે સંગમે કઈ પર્વને દિવસે શ્રેષ્ઠીઓના પુત્રોને પિત પિતાના ઘરમાં ખીરનું ભજન કરતા દીઠા તેથી તેણે ઘરે આવી પોતાની માતાને કહ્યું કે હે માત ! આજે બહુ ખીર બનાવી હારે ઉત્સવ કરે.” માતાએ કહ્યું. “હે વત્સ!
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy