SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૮ ) - શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. એમ કહી બીજા શિખરને ખોદવા લાગે એટલે અવસર “ હારે એમાંથી નિક લેલું ધન ન જોઈએ.” એમ કહી ત્યાંથી બીજે ચાલતો થયો.” નલને કહ્યું “જે અવસર જતું હોય તે જવાદ્યો. આપણે તેને વિના જ ખેદશું.” એમ કહી તેઓ સર્વે બીજા શિખરને દવા લાગ્યા. થોડું ઓછું એટલે તેમાંથી કેટલાક દમ નિકલ્યા તે અવસર વિના પેલા ચારે જણાએ હર્ષથી વંહેચી લીધી. પછી તે ચારે જણુઓ લેભથી રાફડાના ત્રીજા શિખરને ખદવા લાગ્યા. એટલે તેમાંથી રૂ૫ નિકહ્યું. પછી ક્રમને ત્યજી દઈ તેઓએ રૂ૫ વંહેચી લીધું. લેભથી ચોથા શિખરને પણ ખોવું તે તેમાંથી સુવર્ણ નિકલ્યું. સુવર્ણ લેવાને લેભ થયે તેથી પોતાની પાસેના રૂપાને ત્યજી દીધું અને સુવર્ણ લીધું “હવે આ પાંચમામાંથી નિચે રત્ન નિલશે” એમ ધારી તેઓએ લેભથી પાંચમા શિખરને ખોદવા માંડયું. કહ્યું છે કે લાભથી લભ વૃદ્ધિ પામે છે. પછી ખોદેલા એવા તે પાંચમા શિખરમાંથી દષ્ટિવિષ સ નિકલે કે જેણે તે ચારે જણને તથા તેમના ગાડા અને વૃષભેને તુરત બાળી નાખ્યા નાગના અધિષ્ઠાયક દેવતાએ અવસરને લેભ રહિત જાણું તેને તેના ગાડા અને બલદ સહિત ઈષ્ટ સ્થાને પહોંચાડશે.” - (ગોશાલે આનંદ સાધુને કહે છે કે ) જેમ દ્રષ્ટિવિષ સર્ષે અવસર વિના બાકીના ચારને બાળી નાખ્યા તેમ હું પણ તને એકને રાખી હારા ગુરૂને બાળી નાખીશ.” પછી આનંદ મુનિ ભિક્ષા લઈ પ્રભુ પાસે આવ્યા અને મનમાં શંકા થવાથી ગોશાલાનું કહેલું પૂછવા લાગ્યા. “હે સ્વામિન્ ! ગોશાલે એમ કહ્યું કે હું જિનેશ્વરને બાલી નાખીશ. તે તેમ કરવાને સમર્થ છે કે તે તે તેનું ઉન્મત્તની પેઠે ફક્ત બોલવું થયું છે?” પ્રભુએ કહ્યું. “ દુષ્ટ બુદ્ધિવાલો ગોશાલે તીર્થપતિને ભરમરૂપ કરવા સમર્થ નથી પણ સંતાપ માત્ર કરવાની શક્તિ છે. ” આનંદ મુનિ પ્રભુનાં આવાં વચન સાંભળી જેટલામાં પ્રસન્ન થયા છતા બેઠા છે તેટલામાં ગેશલે ત્યાં આવી શ્રી અરિહંત પ્રભુને આ પ્રમાણે કહેવા લાગ્ય2 “હે મહાવીર ! તમે મંલિને પુત્ર ગોશાલ હારે શિષ્ય થાય છે એમ જે કહે છે તે જ તમારૂ પ્રથમ મિથ્યા બોલવું છે. કારણ જે શાલો તમારે શિષ્ય છે તે તે શુક્લ જાતિમાં ઉત્પન્ન થએલે છે. વળી તે ધર્મધ્યાનથી મૃત્યુ પામી દેવતાને વિષે ઉત્પન્ન થયે છે. તેનું શરીર ઘેર ઉપસર્ગ અને પરીષહ સહન કરવામાં સમર્થ જાણ મેં તેના શરીરમાં પ્રવેશ કર્યો છે. તમે મને નહિ જાણતાં છતાં આ મંખલિપુત્ર ગોશાલો છે, અને મારે શિષ્ય છે એમ શા માટે કહે છે ? વિશે તમે હારા ગુરૂ નથી.” શ્રી મહાવીર પ્રભુએ કહ્યું. “ જેમ પૂર્વ નગરરક્ષક લોકોએ પિડા પમાડેલ ચેર, પિતાને રક્ષણ કરવાનું સાધન દુર્ગ, ખાઈ વિગેરે કાંઈ ન મલવાથી તૃણ, ઉન, રૂ, ઈત્યાદિથી જુદા જુદા ગઢ કરી પિતે અંદર રહી પિતાનું રક્ષણ સાધન થયું એમ માનવા લાગ્યા, તેમ પણ બીજા ગોશાલાનું
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy