SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહલ' અને 'શ્રીવિષ્ણુલ' નામના મુનિવરોની કથા. ( ૨૪૫ ) કરતા છતા પાકાર કરવા લાગ્યા. “ હું તાત ! હું પૃથ્વી ઉપર આવા ક્રૂર કથી મહાપાપી થયા. ” એમ તે વારવાર વિલાપ કરવા લાગ્યા. વળી હું પિતાની ક્ષમા માગીશ. એવા જે મનારથ ધારતા હતા તે પણ પૂર્ણ થયા નહિ, જેથી હું બહુ પાપી ઠર્યો છું. હું ઝંપાપાત કરૂં અથવા અગ્નિ, શત્રુ કે જલ ઈત્યાદિ બીજા કોઇ પણ પ્રકારથી મૃત્યુ પામું તે પણ આ કરેલા કર્મની પ્રતિક્રિયા થાય તેમ નથી. આ પ્રમાણે શાકથી આકુલ થએલા અને મારવા માટે ઈચ્છા કરતા કૂણિકને તેના પ્રધાનોએ પ્રતિબેાધ કર્યાં. પછી નિરંતર પિતાના બહુ શાક કરવાથી ક્ષય રાગવડે ક્ષીણ થતા કૂણિક ભૂપતિને જોઇ પ્રધાના વિચાર કરવા લાગ્યા કે ઃ આ કૃણિક રાજા પિતાના શાક કરવાથી મૃત્યુ પામશે અને રાજ્ય નાશ પામશે માટે પિતાની ભક્તિના ઉપદેશથી તેને શાંત કરીએ. ” આમ ધારી મિથ્યાષ્ટિ હાવાથી તેઓએ એક જીણું તામ્રપત્રમાં લખ્યું “ પુત્રે શ્રાદ્ધમાં આપેલા પિંડાદિ મૃત્યુ પામેલા પિતા પામે છે” આ લેખ પ્રધાનાએ રાજા સૂણિકની આગળ વાંચ્યા. તેથી હર્ષ પામેલા રૂણિક પાતે પિંડદાન કરવા લાગ્યા. તે દિવસથી પિંડદાન લેાકમાં પ્રવૃત્ત થયું. “ મૃત્યુ પામેલા મ્હારા પિતા મેં આપેલું અન્ન ભાજન કરે છે.” એમ માનતા જડબુદ્ધિવાળા ફ્રેણિકે જેમ રાગી રસ વિક્રિયાને ત્યજી દે તેમ ધીમે ધીમે શાક ત્યજી દીધા. પોતાના પિતાના બહુ શાકથી વ્યાકુલ મનવાળા કૃણિક રાજા રાજગૃહ નગરમાં રહેવા કયારે પણ ઉત્સાહ ધરતા નહાતા તેથી તેણે કોઈ એક ઠેકાણે પ્રફુલ્લિત ચંપાના વૃક્ષને જોઈ તે સ્થાનકે ચંપાપુરી નામે નગરી વસાવી ત્યાં નિવાસ કર્યો. ܕܕ ? એકદા કૃણિકની સ્ત્રી પદ્માવતી દિવ્ય કુંડલને ધારણ કરનારા, દિવ્યહારના ધારણહાર અને સેચનક હસ્તિ ઉપર બેઠેલા પોતાના દિયર હાહિલ્લને જોઇ વિચાર કરવા લાગી. કારણ સ્ત્રીઓને સ્વાભાવિક ઇર્ષ્યા હોય છે. એ દિવ્ય કુ ંડલ, હાર અને સેચનક હસ્તિ વિના મ્હારા પતિનું રાજ્ય નેત્ર વિનાના મુખની પેઠે શાલતું નથી. પછી પદ્માવતીએ હાહિા પાસેથી તે વસ્તુઓ લઇ લેવાને બહુ આગ્રહ કર્યાં. એટલે કૃણિકે કહ્યું. “ પિતાએ તેમને તે વસ્તુઓ આપી છે માટે તે લઇ લેવી એ ચેાગ્ય નથી. વલી મ્હારા પિતા મૃત્યુ પામ્યા છે તેથી તેા મ્હારે તેમના ઉપર બહુ કૃપા રાખવી જોઇએ. ” રાણી પદ્માવતીએ બહુ આગ્રહ કર્યો એટલે કૂણિકે તે ચારે વસ્તુની પોતાના ભાઈ પાસે માગણી કરી. “ અમે તે વસ્તુ તમને આપીશું. એમ કડી બન્ને ભાઇએ પેાતાના ઘરે જઇ એકાંતમાં પરસ્પર વિચાર કરવા લાગ્યા. “ ભાઈના વિચાર કાંઈ સારા દેખાતા નથી. તેને આ વસ્તુઓનુ શું પ્રયાજન હશે ? માટે આપણે અહી થી કાંઈ ખીજે ચાલ્યા જઈએ. કારણ કે સર્વ સ્થાનકે બલવંત પુરૂષનીજ સંપત્તિ હાય છે. આ પ્રમાણે વિચાર કરી સેચનક અને હારાદિ વસ્તુ લઇ અંત:પુરસહિત રાત્રીએ વિશાલા નગરી પ્રત્યે ચાલ્યા ગયા. વિશાલામાં તેમના માતામહ ( માના માપ ) ચેડા રાજા રાજ્ય કરતા હતા ,, 22
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy