SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહુલ અને શ્રીવિહુલ' નામના મુનિવરેની કથા. ( ૨૪૩ ) લાદિ ગુણાથી શાલતા એવા મેઘકુમાર, અલયકુમાર અને નર્દિષે વિગેરે પુત્રો પશુ બહુ હતા. અભયકુમારે પ્રભુ પાસે દીક્ષા લીધી, ત્યારે શ્રી શ્રેણિક રાજા વિચાર કરવા લાગ્યા કે “ રાજ્યને ચાગ્ય, ગુણવાન અને પિતાની સેવા કરનારા તે અભયકુમાર હતા. પણ તેણે તે પ્રભુના મુખથી ધર્મોપદેશ સાંભલી વૈરાગ્યવાસિત થઈ શ્રી જિનેશ્વર પાસે દીક્ષા લીધી છે. હવે કૃણિકજ ગુણવાન અને ચિત્તને વિશ્રાંતિના રથાન રૂપ છે તેથી તેજ રાજ્ય ચેાગ્ય છે બીજો નથી કારણ તેના સમાન ખીજે સંપત્તિ મેલવી શકે તેમ નથી માટે હું રાજ્ય કણિકને આપીશ. ” એમ ધારી તેણે હલ્લ વિહલ્લને સેચનક હસ્તિ અને અઢાર સેરને હાર આપ્યા. હવે અહીં તેજ વખતે કુણિક પોતાના સરખા કાલાદિ દશ ભાઈની સાથે વિચાર કરતા કહેવા લાગ્યા કે “ અહા ! પિતા વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયા તેા પણુ રાજ્યતૃષ્ણા તજતા નથી. પુત્ર રાજ્યયેાગ્ય થાય ત્યારે પિતાએ દીક્ષા લેવી એ ચેાગ્ય છે. તે અભયકુમાર નિશ્ચે શ્રેષ્ઠ ર્યો કે જેણે યુવાવસ્થા છતાં રાજ્યલક્ષ્મી ત્યજી દીધી અને આ કામાંધ પિતા તે પોતાની જરાવસ્થાને પણ જોતા નથી. માટે આજે પિતાને આંધી તેમનું અવસરને યાગ્ય એવું રાજ્ય આપણે ગ્રહણુ કરી લઇએ, એમાં આપણને અપવાદ લાગવાના નથી. કારણ પિતા વિવેકરહિત થયા છે. હૈ ભાઈએ ! પછી આપણે રાજ્યના અગીયાર ભાગ પાડી વહેંચી લઈશું અને પછી અધીખાનામાં નાખેલા પિતા તેા ભલેને બહુ વર્ષ જીવે. ” આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટ બુદ્ધિવાળા તે સર્વે પુત્રાએ વિશ્વાસી એવા પોતાના પિતાને આંધ્યા. કહ્યુ` છે કે કુપુત્રા પિતાને દુઃખ આપનારા થાય છે. પછી કૃણિકે પિતા શ્રેણિકને પોપટની પેઠે પાંજરામાં ઘાલ્યા, એટલુંજ નહિ પણ દ્વેષથી વિશેષે ભક્તપાન પણ આપવાને મદાદરવાળા થયા. શ્રેણિક દૈવથી આવી દુર્દશા પામ્યા છતાં કૃણિક તેની પાસે કેાઈને જવા દેતા નહીં. એટલુંજ નહિ પણ દુષ્ટ બુદ્ધિવાળા અને અતિ દુષ્ટ આત્માવાળા કૃણિક પૂર્વ ભવના વેરને લીધે નિત્ય સવારે પોતાના પિતા શ્રેણિકને સેા ચાળક મારતા. જો કે કૂણિક કાઇને શ્રેણિકની પાસે જવા દેતા નહિ તેાપણુ પાતાના પતિ ઉપર સ્નેહવાળી મહાસતી ચેત્લણા પેાતાના કેશને મદીરાથી ભીંજાવીને તથા કેશની અદર પુષ્પની પેઠે અડદના બાકળાના પીંડને ઘાલી નિત્ય આદરથી શ્રેણિક પાસે જતી અને અડદના ખાકળાના પીંડ પતિને ખાવા માટે આપતી. શ્રેણિક, દુષ્પ્રાપ્ય એવા તે ભાજનને ઉત્તમ લેાજન સરખું માનતેા. વળી ચેલ્લણાના કેશપાશથી પડતા એવા મદીરાનાં ટીપાંને પણ તે પીતે. આમ કરવાથી તેને ગાઢ તૃષા પીડા કરતી નહેાતી તેમજ ચાબુકને માર માલમ પડતા નહીં. આવી રીતે પિતા શ્રેણિકને આંધીને કૃણિક પોતે રાજ્ય કરતા હૅતા. એકદા કૂણિક પેાતાના પુત્ર ઉદાયીને ખેાળામાં એસારી ભાજન કરવા બેઠા હતા. અર્ધભાજન થયું હતું તે વખતે પેલા પુત્ર જાણે તેના ભાજન કરવાના પાત્રમાં
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy