SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૮) શ્રી અષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. લીધેલું પાછું આપી દે. રાજાએ તે બલવડે ભાઈ પાસેથી, મામા પાસેથી, પિતા પાસેથી અથવા તે મિત્ર પાસેથી રાજ્ય લઈ લે છે. એ કેણ મૂખ હોય જે લીધેલું પાછું મૂકી દે. ” પ્રધાનોનાં આવાં વચનથી હર્ષ પામેલે કેશી ફરી કહેશે. “ ત્યારે તેમનું મૃત્યુ શી રીતે થાય?” પ્રધાને કહ્યું. “ વિષથીજ કરાવાય. પછી કેશીની આજ્ઞાથી કઈ એક ગોવાલણ વિષમિશ્રિત દહિં ઉદાયન મહષિને આપશે. પ્રભાવતીના જીવ રૂપ દેવતા વિષનું હરણ કરી મુનિને કહેશે કે તમને અહિં વિષયુક્ત દહિની પ્રાપ્તિ થશે. માટે હવે દહીંની ઈચ્છા કરશે નહીં. ” મુનિ દહિંનું ભક્ષણ નહિ કરે તેથી તેમના શરીરે રેગ વૃદ્ધિ પામશે. કારણ આષધનું સેવન ન કરવાથી રેગે વૃદ્ધિ પામે છે. ફરી મુનિ રેગિની નિવૃત્તિ માટે દહિનું ભજન લેશે. પણ દેવતા તે વિષનું હરણ કરશે. આમ ત્રણ વખત દેવતા વિષનું હિરણ કરશે. એકદા પ્રમાદથી દેવતા વિષનું હરણ કરશે નહીં તેથી મુનિ વિષમિશ્રિત દહિનું ભક્ષણ કરશે. વિષથી ઉત્પન્ન થએલી પીડા બહુ વૃદ્ધિ પામશે ત્યારે પિતાને કાલ સમીપ આવ્યું જાણું તે મહા મુનિ અનશન લેશે, ત્રીસ દિવસ સુધી અનશન પાલી સમાધિથી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી કર્મ રહિત એવા તે મુનિરાજ મોક્ષ પામશે. ઉદાયન રાજર્ષિ મેક્ષ પામ્યાનું જાણે બીજી કાલરાત્રી હોયની તેમ દેવતા કપ પામશે તેથી તે ધુળ વડે કરીને વીતભય નગરને પૂરી દેશે. અને ધુળની વૃષ્ટિથી દિવસને પણ રાત્રી જેવો કરી દેશે. આ વખતે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા દ્રવ્યની પેઠે ભૂમિમાં દટાઈ જશે. જે કુંભકારના ઘરમાં ઉદાયન રાજર્ષિ રહેશે તે કુંભારને દેવતા બીજે સ્થાનકે લઈ જઈ ને તેના નામથી નવું નગર સ્થાપન કરશે. નિર્ભય એવા અભયકુમારે ફરી નમસ્કાર કરી શ્રી વિરપ્રભુને પૂછ્યું. તે વિશ્વપતિ ! પછી શું થશે તે ઝટ કહે. ” પ્રભુએ કહ્યું. “ જ્યારે ઉદાન રાજાએ પિતાનું રાજ્ય પિતાના ભાણેજ કેશીને આપ્યું. ત્યારે ઉદાયનની સ્ત્રી પ્રભાવતીને પુત્ર વિચારવા લાગ્યું કે “હું રાજ્યને ગ્ય, નિરપરાધી અને ભકત એ પુત્ર છતાં પિતાએ મને રાજ્ય ન આપતાં પિતાના ભાણેજને આપ્યું તે સારું કર્યું નથી. પિતાએ પ્રભુ પણથી જે અયોગ્ય કર્યું છે તે કીક છે. પણ હું કેશીની સેવા તે શી રીતે કરીશ. કારણ ઉદાયનને પુત્ર તે હુંજ છું.” આ પ્રમાણે વિચાર કરી તે અભિચિ પિતાથી પરાભવ પામે છતે કુણિક રાજા પાસે જશે. કારણ માનવંત પુરૂષને પરાભવ થયે છત પરદેશ જવું એગ્ય છે. કૃણિક અભિચિને માસીને પુત્ર ભાઈ થાય છે. તેથી તે ત્યાં તેની દેખરેખ નીચે સુખથી રહેશે. જીવાજીવાદિ તત્વને જાણ, સાધુને ઉપાસક અને વિવેકવાળે તે અભિચિ શ્રાવક ધર્મ પાલશે. જો કે તે અભિચિ બહુ વર્ષ પર્યત અખંડિત રીતે શ્રાવક ધર્મને પાલશે ખરે પણ પિતાથી થએલા પર ભવને સ્મરણ કરતે છતે પિતા ઉપરનું વૈરત્યજી દેશે નહીં. છેવટ પંદર દિવસના
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy