________________
શ્રીઅભયકુમાર કથા તર્ગત શ્રીઉદાયની રાજર્ષિની કથા. (૨૩૩) તું હારી નગરી પ્રત્યે ચાલ.” સુવર્ણગુલિકાએ કહ્યું “હું આ દેવાધિદેવની પ્રતિમાને મૂકી દઈ ક્ષણમાત્ર પણ જીવી શકે તેમ નથી માટે હે રાજન! તમારે આ મૂર્તિના સમાન બીજી મૂર્તિ લાવીને ત્યાં સ્થાપન કરવી અથવા તે આ મૂર્તિને જ ત્યાં લઈ જઈને સ્થાપવી.” પછી ચંડપ્રદ્યતન ભૂપતિ, દેવાધિદેવની પ્રતિમાસમાન રૂપ આલેખી લઈ અને તે રાત્રી પ્રીતિથી તેણીની સાથે કીડા કરવામાં નિગમન કરી સવારે પિતાની ઉજજયિની નગરી પ્રત્યે ચાલ્યા ગયા. ત્યાં ચંડપ્રદ્યતન ભૂપતિએ જેવી જોઈ હતી તેવી જાતિવંત ચંદનના કાષ્ટની શ્રી વીરપ્રભુની પ્રતિમા કરાવી. પછી તેણે પિતાના પ્રધાનને પૂછયું કે મેં આ દેવાધિદેવની નવીન પ્રતિમા કરાવી છે તેની પ્રતિષ્ઠા કોણ કરશે?” પ્રધાને કહ્યું. “હે પૃથ્વીનાથ ! અનંત ભવના સંદેહને નાશ કરનારા તથા કેવલજ્ઞાની એવા કપિલ મુનિ એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરશે. પછી ચંડપ્રદ્યતન રાજાની વિનંતિ ઉપરથી ઉપશમધારી કપિલ મુનિએ વાસક્ષેપ નાખવા પૂર્વક તે નવીન મૂર્તિની પ્રતિષ્ઠા કરી. પછી ચંડપ્રદ્યતન રાજાએ તે પ્રતિમા વાયુના સરખા વેગવાલા હસ્તિની પીઠ ઉપર મૂકી અને પોતે પણ હર્ષથી તે પ્રતિમાની સેવા કરતો છતે હસ્તિ ઉપર ચઢો. હસ્તિના દિવ્ય વાહનથી પણ અધિક વેગથી વીતભય નગરને વિષે જઈ તેણે તે પ્રતિમા કુજા (સુવર્ણગુલિકા)ને આપી. કુન્નાએ પણ તે પ્રતિમાને મંદીરમાં સ્થાપન કરી તથા પૂર્વની પ્રતિમા લઈ ચંડપ્રદ્યતન રાજા પાસે આવી ચંડપ્રદ્યોતને ભૂપતિ પણ પ્રતિમાસહિત કુન્જાને હસ્તિ ઉપર બેસારી તુરત પિતાની નગરી પ્રત્યે ગયે. આ વખતે તેની ઉજજયિની નગરી જાણે પિતાની સામે આવી હોયની? એમ તેને માલમ પડયું.
એકદા કુન્શાએ તથા ચંડપ્રદ્યતન રાજાએ વિદિશા નગરીના ભાયલ છીને તે વિદ્યુમ્માલી દેવતાએ બનાવેલી ગોશિષ ચંદનની મૂર્તિ પૂજા કરવા સેંપી. કારણ તેઓ બહુ વિષયાસક્ત હોવાથી મૂર્તિની પૂજા કરી શકતાં નહેતાં. એક દિવસ ભાયલે જાણે મૂર્તિમંત તેજને સમૂહ હાયની? એવા અને પિતાના હાથથી જ ચંદનાદિ વડે તેજ જિનપ્રતિમાને પૂજન કરતા બે ઉત્તમ પુરૂષને દીઠા. દષ્ટિને સુખ આપનારા અને ઉત્તમ કાંતિથી દેદીપ્યમાન એવા તે બને પુરૂષને જોઈ ભાયલે તેમને પૂછયું કે “તમે કેણ છે ?” તેઓએ કહ્યું. “અમે પાતાળમાં રહેનારા કંબલ શંબલ નામના નાગકુમાર છીએ. ધરણેન્દ્રની આજ્ઞાથી અમે નિરંતર વિદ્યન્માલી દેવતાએ બનાવેલી દેવધિદેવની આ પ્રતિમાને ચંદનાદિ પૂજનસામગ્રીથી પૂજા કરવા માટે અહીં આવીએ છીએ, આ હદયની અંદર રહેલી વિદિસા નદીના માર્ગે થઈ અમે મરાલ પક્ષીની પેઠે આવ જા કરીએ છીએ,” ભાયાલે કહ્યું. “ તમે કૃપા કરી પાતાલના તમારા ભુવને મને દેખાડે. વલી મને ત્યાંની શાશ્વતી પ્રતિમાને જેવાને મનોરથ છે તે મહારે મને રથ પૂર્ણ કરે. કારણ દેવતાનું દર્શન નિષ્ફળ થતું નથી.” પછી તે બન્ને દેવતાઓ નદીમા અધું પૂજન કરેલા ભાયલને તુરત પાતાલ પ્રત્યે