SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ^ ^ ^ શ્રી વીરપ્રભુના પૂર્વ માતાપીતાને સંબધ. (૧૩) જન્મને વિષે મેં સર્વ જન ત્યજી દીધું છે. પોતાના એકના એક પુત્રને આવો ઘેર કદાગ્રહ જાણું રાજા વિશ્વનંદિએ મનમાં કાંઈ વિચાર કરી ઉદ્યાનમાં કીડા કરવા જવાને પડહ વગડાવ્યો. પડહને શબ્દ સાંભલી વિનયથી નમ્ર એ વિશ્વભૂતિ પતાના પરિવાર સહિત જેટલામાં રાજાની પાસે આવીને કાંઈ કહેવા જાય છે તેટલામાં સ્ત્રી સહિત વિશાખનંદિએ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. વલી તેણે તે ઉધાનને ખેડાવી નાખ્યું જેથી તે વિશ્વભૂતિ, તેને દંભી માની બહુ ખેદ પામવા લાગ્યા. પછી વિશ્વતિ, એક મુષ્ટિના પ્રહારથી મોટા કેઠીના વૃક્ષને મૂલમાંથી પાડી નાખી તેને હાથમાં લઈ ઉદ્યાન આગલ એ એટલે વિશાખન-દિએ તેને કહ્યું કે “અરે ! પિતાના ચિત્તમાં આ ઉદ્યાનને વિષે પેસવાનું માન ન કર, હમણાં હું તને વૃક્ષની પેઠે ઝટ ઉન્મેલન કરી નાખીશ.” પછી વિશ્વભૂતિ “અરે આ હાટા ગુરૂરૂપ ભૂપતિની આગલ મેં આ શું લજાવાનું કામ કર્યું? એમ કહીને મનમાં વિચાર કરવા લાગ્યા. પછી બહુ વેરાગ્યરસથી વ્યાસ એવા તેણે સંભૂતિમુનિની પાસે શ્રી જિનેશ્વર પ્રણિત દીક્ષા લઈ ઘેર તપ આરંડ્યું. એકદા મથુરા નગરીમાં ભિક્ષા માટે વિચરતા એવા તે દુર્બળ શરીરવાળા વિશ્વભૂતિને કઈ અતિ દુર્ણ ગાયે પાડી દીધા. વિશ્વતિને પડેલા જોઈ વિશાખનંદી બહુ હસવા લાગ્યો. વળી તે એમ કહેવા પણ લાગ્યા કે “હે મુનિ ! હમણું કઠીના વૃક્ષને પાડી દેનારું તમારૂ બળ ક્યાં ગયું ?” વિશાખનદીનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થયું છે અભિમાન જેમને એવા વિશ્વભૂતિએ તે ગાયને શીંગડામાંથી પકડીને સર્વ જનેને વિરમય પમાડતાં છતાં બહ ભમાવી પછી અંતે બહુ બહુ બળવાન થઉં” એવું નિયાણું કરીને એક માસભક્તથી મૃત્યુ પામી ને તે વિશ્વભૂતિ, શુક કલ્પને વિષે માટે દેવતા થયે ત્યાંથી આવીને અધ ભરત ક્ષેત્રને અધિપતિ પ્રજાપતિ તથા મૃગાવતીને પુત્ર અને મહા બળવાન એ ત્રિપુષ્ટ નામે પહેલ વાસુદેવ થયો. ચોરાસી લાખ વર્ષના પૂર્ણ આયુષ્યવાળે તે વિષ્ણુ સંપત્તિને ભેગવી અંતે મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. ત્યાંથી નિકળીને સિંહ થયે. વળી તે નરકે ગયે આ પ્રમાણે તિર્યંચ અને મનુષ્યના બહુ ભવેથી સંસારમાં ભમીને મહાવિદેહ ક્ષેત્ર ને વિષે મૂકા નગરીમાં ધનંજય રાજા અને ધારિણે માતાથી ઉત્પન્ન થઈ પૂર્ણ રાસી પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તિ છે. તે પિટ્ટીલ ગુરૂ પાસે દીક્ષા અને તેને કોટિ વર્ષ પર્યત પાલન કરીને મહાશુક દેવલેકમાં દેવતા થયો. ત્યાંથી આવી છત્રા નગરીમાં પચ્ચીસ લાખ વર્ષના આયુષ્ય વાળ તથા જિતશત્રુ અને ભદ્રાને નંદન નામે પુત્ર થયો. તેણે ચોવીશ લાખ વર્ષ પર્યત સુખકારી રાજ્ય ભેગવી એક લાખ વર્ષ પયંત નિર્મલ દિક્ષા પર્યાય પા. હવે તે નંદને દીક્ષા લઈને એ નિયમ અંગીકાર કર્યો હતે કે “હું માસક્ષપણું વિના પારણું નહિ કરું.” આ પ્રમાણે નિયમ લીધાથી તેમને અગીયાર લાખ, એંશી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy