SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅભયકુમાર કથાન્તત શ્રીઉદ્યાયન' રાજિષની કથા (6 ( ૨૨૭ ) દેવીએની સાથે ક્રીડા કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. દેવીએએ કહ્યું “ જો તું અમારી ઇચ્છા કરતા હાય તે પાંચશેલ ચાલ. ” એમ કહી દેવીએ ચાલી ગઈ. પછી કુમારની સાનીએ રાજાને દ્રવ્ય આપી એવા પટડુ વગડાવ્યા કે “ જે મને પંચશેલ પર્વત ઉપર લઈ જશે તેને હું કાટિ દ્રવ્ય આપીશ. ” કોઈ એક વૃદ્ધ નાવિકે પટહને સ્પર્શ કરી દ્રવ્ય લીધું. પછી તે વૃદ્ધ નાવિકે પેાતાના પુત્રોને દ્રવ્ય આપી અને મડુ ભાથું કરાવી વહાણમાં ભર્યું. સાનીની સાથે વહાણમાં બેસી સમુદ્ર માગે દૂર જઈ તે વૃદ્ધ નાવિકે સાનીને કહ્યું. અહિંથી સામે સમુદ્રની અંદર રહેલા પર્વત ઉપર પેલું વડવૃક્ષ દેખાય છે. જ્યારે વહાણુ તે વડની સમીપે જાય ત્યારે તું વહાણમાંથી કૂદી તે વડવૃક્ષને વલગી પડજે. રાત્રીએ ત્યાં પચશૈલ પર્વતથી ભાર ડપક્ષીઓ આવે છે. તે સૂતે છતે એક પક્ષીના પગની સાથે પેાતાનું શરીર મજબુત બાંધી અને બન્ને હાથથી તેના પગને પકડી રાખજે, ભાર`ડ પક્ષીએ સવારે ઉડીને પચશૈલ પર્વત ઉપર જશે. તું પણ તેની સહાયથી ત્યાં પહેાંચીશ. વલી ને તું વડવૃક્ષને વલગી પડીશ નહીં તે ત્યાં ભમરીમાં પડેલું વહાણ ભાંગી જશે તેની સાથે તું પણ મૃત્યુ પામીશ. ” સેની નાવિકના કહેવા પ્રમાણે કરીને પોંચશેલ પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં તે, વ્યંતરીઓના રૂપને જાઈ વિશેષે મેાડુ પામ્યા. દેવીએએ કહ્યું. “ અમે ત્હારા આવા શરીરની સાથે ક્રીડા કરશું નિહ. અમારા સરખું મનેાહર શરીર ધારણ કર તાજ અમે હારી સાથે ક્રીડા કરવા ચેાગ્ય છીએ. માટે તું અગ્નિમાં પ્રવેશ કરીને પંચશૈલ પર્વતના પતિ થા.” દેવીઓનાં આવાં વચન સાંભળી સાનીએ કહ્યું. “ હે દેવાંગનાએ ! હવે હું પાછે મ્હારે નગરે શી રીતે જાઉ' ? આ પ્રમાણે કહેતા એવા તે સાનીને દેવીઆએ તુરત તેના નગર પ્રત્યે પહોંચાડયા. લેાકેાએ તેને જોઇને તેની સર્વ વાત પૂછી તે તેણે યથાર્થ કહી પછી તે સેાની ચિત્તમાં દેવીઓનું સ્મરણ કરતા છતા અગ્નિપ્રવેશ કરવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે તે સાનીને મિત્ર નાગિલ ત્યાં આવી તેને કહેવા લાગ્યા કે “ અરે તું કેવા પુરૂષાર્થહિન બની ગયા. જે મૃત્યુ પામવા તૈયાર થાય છે? આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે માટે હું મિત્ર ! તું અલ્પ એવા ભાગસંગના ફૂલ મેલવવા માટે તે મનુષ્ય જન્મને વૃથા ન ગુમાવ, એવા કા મૂર્ખ હોય કે અશ્વ વેચીને ગધેડાને ખરીદ કરે ?” આ પ્રમાણે નાગિલે તે સેનીને નિયાણું કરતાં બહુ અટકાવ્યા, પરંતુ તે સોની તે દેવીએના પતિ થવાનું નિયાણું કરી અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામી પંચશૈલ પર્વતના પતિરૂપે ઉત્તમ દેવપણે ઉપયેા. પેાતાના મિત્રનું આવું અયેાગ્ય મૃત્યુ જોઇ તુરત વૈરાગ્ય પામેલા નાગિલે હષઁથી દીક્ષા લીધી. અનુક્રમે સયમનું આરાધન કરી મૃત્યુ પામી નાગિલ અચ્યુત દેવલાકમાં દેવતા થયા. ત્યાં તેણે અવિધજ્ઞાનથી જોયું તેા પોતાના મિત્ર કુમારનદી સાનીને પંચશૈલ પર્વત ઉપર દીઠ).
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy