SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, પાંડેની પ્રિયા દ્રપદીને ક્યાંય દીઠી?” નારદે કહ્યું: “હે ગોવિંદ! ધાતકિખંડમાં પક્વોત્તર રાજાના અંત:પુરમાં દ્રૌપદીને જોઈ છે.” પછી કૃષ્ણ તુરત પાંડેને સાથે લઈ પૂર્વ સમુદ્રને કાંઠે ગયા. ત્યાં વિધિથી સુસ્થિત દેવની આરાધના કરી. સુસ્થિત દેવે પ્રસન્ન થઈ તેમને છ રથ આપ્યા જેથી કૃષ્ણ પાંડે સહિત અમર નગરીએ ગયા. પ્રથમ કૃષ્ણની આજ્ઞાથી પાંચે પાંડવો પડ્યોત્તર ભૂપતિની સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ તેઓ ભયથી નાસીને કૃષ્ણના શરણે આવ્યા. પછી કૃષ્ણ પિતાના શંખનાદથી શત્રુની સેનાના ત્રીજા ભાગને ક્ષણ માત્રમાં નાશ કર્યો એટલું જ નહિ પણું ધનુષ્યના ટંકારથી પણ તેવી રીતે બાકી રહેલા સિન્યનો ત્રીજો ભાગ હણું નાખે. છેવટ પડ્યોત્તર રાજા નાઠો અને ઝટ પિતાની નગરીમાં પેસી ગયો. ભયબ્રાંત ચિત્તવાળા તેણે પિતાના માણસ પાસે દરવાજા બંધ કરાવી દીધા. કૃષ્ણ નૃસિંહ રૂપ ધારણ કરી કેટ અને દરવાજા વિગેરે પગપ્રહાર વડે ભાગી નાખ્યા. પછી ભયબ્રાંત થએલે પક્વોત્તર રાજા સતી દ્રોપદીને સાથે લઈ કૃષ્ણની પાસે આવ્યો ત્યાં તેણે પદીને કૃષ્ણની આગળ મૂકી તુરત પ્રણામ કર્યા. પછી દ્રપદીને સાથે લઈ પાંચ પાંડે સહિત કૃષ્ણ પાંચજન્ય શંખને શબ્દ કરી સમુદ્રકાંઠે આવ્યા. આ વખતે ધાતકિખંડના ભરતક્ષેત્રને વાસુદેવ કપિલ શ્રી મુનિસુવ્રત પ્રભુ પાસે બેઠો હતે, તેણે કૃષ્ણના શંખનો શબ્દ સાંભળી કૃષ્ણના આગમનનું વૃત્તાંત પ્રભુ પાસેથી સાંભળ્યું. પછી તે કપિલ વાસુદેવ કૃષ્ણને મલવા માટે જેટલામાં સમુદ્રને કાંઠે આબે તેટલામાં શ્રીકૃષ્ણ પાંચે પાંડવો સહિત સમુદ્ર મધ્યે કેટલેક દૂર ગએલા હો હોવાથી તેણે ફક્ત કૃષ્ણના રથની ધ્વજા દીઠી. કપિલ વાસુદેવે હર્ષથી પિતાના શંખને શબ્દ કર્યો તે શબ્દ સાંભળી હર્ષ પામેલા કૃણે સામો શંખને શબ્દ કરી તુરત સમુદ્રના કાંઠે આવ્યા. કૃષ્ણ સુસ્થિત દેવને વિદાય કરવા માટે સમુદ્રકાંઠે કાયા અને પાંડવો વહાણુમાં બેસી ગંગાના સામા તીરે ગયા. જો કે પાંડેએ પરીક્ષા કરવા પા કૃષ્ણને માટે વહાણ મે કહ્યું નહીં. તે પણ કૃતકૃત્ય એવા કૃષ્ણ પિતે બને ભુજાથી ગંગાને તરી મધ્ય ભાગમાં દેવીએ કરેલા સ્થળમાં વિશ્રામ કર્યો ત્યાંથી તે ગંગાના સામા કાંઠે ગયા, પાંડવે તે કૃષ્ણને આવેલા જોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ કૃણે તે ક્રોધથી તેમના રથે ભાગી નાખી અને કહ્યું કે “હવે પછી મારા રાજ્યમાં રહેવું નહીં.” એમ કહી કૃષ્ણ તુરત પિતાની દ્વારકા પુરી પ્રત્યે ગયા. પછી કૃષ્ણ કુંતીના આગ્રહથી પાંડેને નિવાસ કરવા માટે દક્ષિણ સમુદ્રને કાંઠે પૃથ્વી આપી. ત્યાં તેઓ પાંડુ મથુરા નામે નગરી વસાવી સીમાડાનું નક્કી કરી તથા બીજા રાજાઓને પિતાના તાબામાં કરી ઈદ્રની પેઠે રાજ્ય કરવા લાગ્યા. પછી અવસરે વૈરાગ્યવાસિત થએલા પાંડેએ દ્રપદીથી ઉત્પન્ન થએલા પાંડુસેન પુત્રને
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy