________________
શ્રી
કુમાર નામના મુનિવરની કથા.
( ૧૨૭ ) મને જાણી એ મહાસતી ખમતીએ શીલરક્ષા માટે પોતાના પ્રાણના ત્યાગ કર્યાં. આ ઘાર મહા પાપથી મલીન થએલા અને દુરાત્મા એવા મ્હારે હમણાં જીવવામાં શા લાભ છે ? ” આ પ્રમાણે વિચાર કરી અનશન લઇ તે મહામુનિ પેાતાના ઢ એવા તે દુગુચ્છા કર્મને આલેાચ્યા વિના શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. પવિત્ર ચારિત્રવાલા મિત્ર સાધુ પણ આયુષ્ય પૂર્ણ થયે શુભ ભાવથી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવતાપણે ઉત્પન્ન થયા,
હવે સામાદિત્યના જીવ સ્વર્ગથી ચવીને અનાર્ય એવા આદન દેશમાં આક નામના ભૂપતિના આ કુમાર નામે શ્રેષ્ટ પુત્ર થયા. મિત્રના જીવ પણ સ્વર્ગથી ચવી શ્રેણિક રાજાની નંદા રાણીના અભયકુમાર નામે પવિત્ર પુત્ર થયા, છેવટ ખંધુમતી સાધ્વીના જીવ પણ સ્વર્ગથી ચવી વસંતપુરમાં ધનશ્રી નામે શ્રેષ્ઠી પુત્રી થઇ. ઉત્તમ પુણ્યના ચેાગથી વૃદ્ધિ પામતા આદ્રકકુમાર અનુક્રમે અનુપમ કલાકેલિના મંદીર રૂપ યાવન અવસ્થા પામ્યા. આ વખતે શ્રી શ્રેણિક મહારાજાએ પૂર્વથી ચાલતી આવતી પ્રીતિની વૃદ્ધિને અર્થે હર્ષથી આકી રાજાને ભેટ માકલી. આ વખતે શ્રી માન્ આકકુમાર પાતાના પિતા પાસે બેઠા હતા. તેથી તે આવેલી ભેટ જોઈ વિસ્મયથી વિચાર કરવા લાગ્યા શ્રીશ્રેણિક ભૂપતિ હમણાં મ્હોટા રાજા સભલાય છે. અને તે મ્હારા પિતાના મિત્ર છે તેા મ્હારે પણ તેના પુત્રની સાથે મૈત્રી કરવી જોઈએ. આમ ધારી તેણે ભેટ લઇ આવેલા માણસોને પોતાના મેહેલમાં ખેલાવીને પૂછ્યું કે “ શ્રી શ્રેણિક રાજાને કાઈ એવા પુત્ર છે કે જે સદ્ગુણીની સાથે હું પણ મૈત્રી કરૂં ? ” શ્રી શ્રેણિક રાજાને મહા બલવંત એવા ઘણા પુત્રા છે. પરંતુ તેમાં સુકૃતી, સર્વ ગુણુયુક્ત, મિત્ર ઉપર સ્નેહ રાખનારા અને કર્યો ગુણના જાણુ એવા અભયકુમાર નામને મુખ્ય પુત્ર છે. ” અભયકુમારનું નામ સાંભલી આકકુમાર પૂર્વ જન્મના અનુરાગથી બહુ આનંદ પામ્યા. પછી તેણે તે રાજપુરૂષને કહ્યુ. “ હે ભદ્રો ! તમે જ્યારે પેાતાના પુર પ્રત્યે જાઓ ત્યારે અભયકુમાર માટે મ્હારી ભેટ તથા પત્ર લઈ જજો. તે વિના તમારે જવુ નહી' વલી તમારે તે મિત્રને મ્હારા સ્નેહ પૂર્વક આદરથી પ્રણામ કહેવા. ” પછી રાજ પ્રસાદને લઈ તે શ્રેણિક રાજાના પુરૂષા પોતાના પુર પ્રત્યે જવાની તૈયારી કરતા આદ્રકકુમાર પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. “ હું કુમાર ! અભયકુમાર માટે ભેટ અને પત્ર આપે. અમે નિશ્ચે આજે રાજગૃહ નગર પ્રત્યે જવાના છીએ. ” પછી અતિ હર્ષ પામેલા આ કકુમારે પાતે મિત્ર અભયકુમાર માટે ભેટ સહિત પત્ર તે રાજપુરૂષાને આપ્યા. રાજપુરૂષો ચાલ્યા અને થાડા દિવસમાં રાજગૃહ નગર પ્રત્યે આવી પહોંચ્યા. ત્યાં તેઓએ આદન દેશના અધિપતિના સર્વ સમાચાર હપૂર્વક શ્રેણિક રાજાને કહ્યા. અને આ કુમારે મેકલાવેલ પત્રસહિત લેટ અભયકુમારને આપી. અભયકુમારે કહ્યુ, “ હે ભદ્રો ! આ ભેટ કોની છે અને