SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમેતાર્યમુનિ અને ઈલાચી કુમારની કથા. (૧૫) હતે. તે નિર્દોષ એવા મુનિને વૃથા ઘાત કર્યો છે, માટે તેજ વધ કરવા લાયક છે.” લોકોએ આ પ્રમાણે સનીને કહીને જેટલામાં તે વાત શ્રેણિક રાજાને નિવેદન કરી તેટલામાં અતિ રૂષ્ટ થએલા તે ભૂપતિએ સોનીને મારી નાખવા માટે યમરાજ સમાન પિતાના દૂતને ઝટ આજ્ઞા આપી. પાછળ અહિં અતિ ભયભીત થિએલા સોનીએ ઝટ બારણું બંધ કરી પિતા કુટુંબ સહિત કેટલામાં જેની દીક્ષા અંગીકાર કરી તેટલામાં, અતિ ક્રોધાતુર એવા શ્રેણિક રાજાના દૂતોએ ત્યાં આવીને સનીને કહ્યું કે “અરે ! તેં આ શું દુષ્ટ કર્મ કર્યું. હવે તને અમે શું કરીએ? કારણ તે કુટુંબસહિત દીક્ષા લીધી નહિ તે તને ઘેર વિટંબના થાત. જે હવે પછી પણ દીક્ષાને ત્યાગ કરીશ તો કુટુંબ સહિત તને રાજદંડ થશે.” આમ કહીને તે સર્વે સુભટે પિત પિતાના સ્થાનકે ગયા. પછી કુટુંબ સહિત સોની નિરતર દીક્ષા પાળવા લાગ્યો. મેતાર્ય મુનિ પ્રાણાંત ઘેર ઉપસર્ગ સહન કરી અંત કેવલજ્ઞાન પામી મેક્ષ પ્રત્યે ગયા. અહો ! જે પ્રથમ સંકેતિક મિત્ર દેવના વશથી મહા કષ્ટ મૂર્ખતાના નાશ કરનારા ઉત્તમ પ્રતિબોધને પામી અને સનીએ કરેલા ઘોર ઉપસર્ગને સહન કરી તત્કાળ મોક્ષ પદ પામ્યા તે શ્રી આર્ય મેતાર્ય મુનિની હું સ્તુતિ કરું .” “શ્રીમેતા” નામના મુનિવરની વથા સંપૂર્ણ अभिरुढो वंसग्गे, मुणिपवरं दहुँ केवलं पत्तो ॥ जो गिहिवेसधरोवि हु, तमिलापुत्तं नमसामि ॥ ८९ ॥ વંશ ઉપર ચડેલા જે પુરૂષને ગૃહસ્થને વેષ છતાં પણ શ્રેષ્ઠ મુનિને જેવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તે ઈલાપુત્રને હું નમસ્કાર કરું છું. મેં ૮૯ છે | | શ્રી રૂઢીવી ગુમારની વથા | કઈ ગામમાં કઈ એક બ્રાહ્મણે સુગુરૂ પાસેથી ધર્મ સાંભલી વૈરાગ્યથી પોતાની સ્ત્રી સહિત દીક્ષા લીધી. પછી પરસ્પર અધિક નેહવાલા તે બન્ને જણ ઉગ્ર તપ કરતાં હતાં. પરંતુ વિપ્ર સ્ત્રી જાતિમદને લીધે સાધુની નિંદા કરતી હતી. ધિક્કાર છે. એ જાતિમદને! અનુક્રમે મૃત્યુ પામીને તે બન્ને જણ સ્વર્ગ પ્રત્યે ગયાં અને ત્યાં સુખે રહેવા લાગ્યાં. આ અવસરે ભરત ક્ષેત્રમાં ઈલાવર્ધન નગરને વિષે ઈભ્ય નામે શ્રેષ્ઠી વસતે હતા તેને ધારિણે નામે સ્ત્રી હતી. પુત્રના અર્થવાલી તે સ્ત્રી હંમેશાં હર્ષથી ઉત્તમ મહિમાવાલી ઈલાદેવીને સેવતી અને તેની પાસે ઈષ્ટ ફલ (પુત્ર) ની યાચના કરતી. હવે પેલો બ્રાહ્મણને જીવ કે જે સ્વર્ગને વિષે દેવતા થયા હતા. તે ત્યાંથી ચવીને ધારિણીના પુત્ર રૂપે ઉપન્ન થયે. માતા પિતાએ ઉત્સવ પૂર્વક તેનું ઈલાપુત્ર
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy