SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ નિત્યનિયમાદિ પાઠ મારા અપરાઘ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થી એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. શરણ કેમ પ્રાપ્ત થતું નથી ? જીવ અપરાધી છે. જેની આરાઘના કરવી જોઈએ તેની આરાધના કરતો નથી. પોતામાં દોષો છે તે જણાતા નથી. સત્તામાં દોષ હોય તે જણાય નહીં; નિમિત્ત મળે દોષ ઊભા થાય. આત્માની આરાઘના નથી કરતો એ મોટો દોષ છે. જે જે કારણને લઈને આત્માની આરાધના થતી નથી તે મારાં પાપો ટળી જાય, એ મારી અભિલાષા છે. પાપથી મુક્ત થાય તો નિર્દોષ થાય. મોક્ષ શું ? આત્માની શુદ્ધતા–પાપરહિત દશા એ જ મોક્ષ છે. બઘાં કર્મ પાપ છે. તેમાં ચાર ઘાતિયાં કર્મ મુખ્ય પાપ છે. તે જાય તો પરમાત્મા થવાય. તેથી તે ઘાતિયાં કર્મ તોડવા પ્રયત્ન કરવો જોઈએ. “ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ.” પાપ થયું હોય તો પછી શું કરવું? પશ્ચાત્તાપ. પાપ કરીને રાજી થાય, તેનું અભિમાન કરે તો તીવ્ર કર્મ બાંધે. જેમકે શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણને વિઘીને ઝાડમાં પેસી ગયું; તેનું અભિમાન કરવાથી નરકનું આયુષ્ય બાંધ્યું અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોઘના વિચારોથી સાતમી નરકે જવાય એવાં પાપનાં દળિયા બાંધ્યાં, પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી છૂટી ગયા. પાપથી મુક્ત કેમ થવાય ? પશ્ચાત્તાપ કરવાથી. વીસ દોહરા, ક્ષમાપના વગેરે બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે. ઘણાં ભવ નિષ્ફળ ગયા પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy